પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૫
જયા-જયન્ત
 


(મૃત્યુ પામે છે.)

પારધી : સુન્દરી ! ચાલો મ્હારી ગુફામાં.

યોજનભરનાં વન વસ્યાં છે,
એ વનમાં હું વસું છું;
વનનો જાણે વાઘ.
ત્ય્હાં વસીશું આપણે
વનનાં વાઘ અને વાઘણ.

જયા : તણખામાંથી ભડકામાં.

ક્ય્હાં દોડીશ ! કેટલું દોડીશ ?
ગિરિશિખરો કૂદતી છલંગે,
વનની ઘટાઓ વીંધાશે મુજથી ?

પારધી : વાઘણે તો નથી વીંધ્યો

વનનાં ઝુંડનો મારો કિલ્લો.
(જયા નાસે છે, પાછળથી પારધી દોડે છે.)

દેવી : હાશ, રોગમાંથી મોતમાં.

થતી હતી દેવની ડાહિલી.
બચજે એ વરૂના પંજામાંથી.
દેવીની દાસી કરશે એ;
બની હું તો અહીં
દાસીની દેવી. -
હવે સુરા કોને પાઉં ?
આચાર્યનો તો અસ્ત થયો.