પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૬
જયા-જયન્ત
 


પણ આથમે તે ઉગવાને માટે.
આચાર્ય મરે, પણ ગાદી મરતી નથી;
ગાદીપતિ મરે, પણ ગાદી મરતી નથી.
આજ ગુરુની અમાસનો છે ઉત્સવ.
આચાર્યનું શબ શેકી ભોજન કરીશું.
આવો, ઉત્સવવાસીઓ !
આદરો ઉત્સવ ગુરુની અમાસનો.
ભુવન ભુવન મદનનાં મહારાજ્ય રે,
ગાવ ! ગાવ ! ગીત મદનરાજનાં, સખિ !
(ગાતી ગાતી ઉત્સવમંડળી ઉત્સવ માટે આવે છે.)