જૈન અને બૌદ્ધ પરંપરામાં બિંબિસાર વિષે અનેક કથાનકો પ્રચલિત છે એ પ્રમાણે :
—જૈન અને બૌદ્ધ ધર્મોના અનુયાયીઓ એને પોતાનો અનુયાયી ગણે છે.
—હેમચંદ્રાચાર્ય કહે છે કે જ્યારે દેશમાં અંધકારયુગ ચાલતો હતો ત્યારે તે પોતાની પત્ની છલનાની સાથે ભગવાન મહાવીરની પૂજા કરવા ગયો હતો.
—બૌદ્ધ સાહિત્ય અનુસાર બિંબિસાર બે વાર ગૌતમ બુદ્ધને મળ્યો હતો. એક વાર ગિરિવ્રજમાં અને બીજી વાર રાજગૃહમાં. એની પત્ની ખેમા દ્વારા એણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી.
—જૈન પરંપરા પ્રમાણે બિંબિસારને ઘણા પુત્રો હતા. જેવાકે કુણિક, અજાતશત્રુ, હાલ (હલ્લ), બેહાલ (વિહલ્લ), અભય તથા મેઘકુમાર. એના આ પુત્રો રાજ્યપ્રાપ્તિની ઝંખનાથી એને સંતાપ આપતા હતા.
—અજાતશત્રુ કઈ રાણીથી થયેલ પુત્ર હતો એ સંબંધે જૈન અને બૌદ્ધ મતપરંપરામાં મતભેદ છે. જૈન મતાનુસાર કુણિક રાણી ચેલ્લણાનો પુત્ર હતો અને પાછળથી તે અજાતશત્રુ તરીકે ઓળખાયો હતો જ્યારે એક બૌદ્ધ પરંપરા અનુસાર પ્રસેજિતની બહેન કોશલદેવીનો પુત્ર તે અજાતશત્રુ. દીઘનિકાયની એક કથામાં ઉપર પ્રમાણે નો ઉલ્લેખ મળે છે. વિનયવસ્તુમાં અજાતશત્રુને વૈદેહિ ચેલાનો પુત્ર બતાવ્યો છે. (પૃ. ૩૨૨, નરકેશરી)
—એ જ રીતે અભયકુમાર જૈનોના મતાનુસાર વૈશ્ય પુત્રી સુનંદાનો પુત્ર જ્યારે બૌદ્ધ મતાનુસાર અંબપાલીનો પુત્ર છે. બૌદ્ધ ગ્રંથ ‘વિનયવસ્તુ’માં ઉપર પ્રમાણે ઉલ્લેખ મળે છે. બૌદ્ધોની બીજી પરંપરા પ્રમાણે રાજકુમાર અભય ઉજ્જયિનીની પદ્માવતી નામક ગણિકાનો પુત્ર હતો. બૌદ્ધો માને છે કે એ પ્રથમ મહાવીરભક્ત હતો, પછી બૌદ્ધભક્ત થયો.
—મગધરાજ શ્રેણિક બિંબિસારના મૃત્યુ સંબંધે પણ જૈન અને બૌદ્ધ