પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘માટીનું અત્તર’ :

‘માટીનું અત્તર’ જયભિખ્ખુકૃત ૨૩ એવી વ્યક્તિઓની વાતોનો સંગ્રહ છે, જેમનું જીવન માટીના અત્તર જેવું આપોઆપ સોઢાયું છે, જેનું અસ્તિત્વ વિશાળ સંસાર તુષારબિંદુમાંથી ક્ષણ માટે બનતા મોતી જેવું રળિયામણું બનીને જગતને સોહાવી ગયું એવા દિલ અને દિમાગને પોતાના સૌંદર્યથી અને ખુશ્બુથી મસ્ત કરનાર પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ માનવીઓનાં જીવનની વાતો લઈને આ સંગ્રહ આવે છે. ચારિત્ર્ય ઘડતર કરવાની લેખકની મહેચ્છામાંથી જન્મેલા આ સંગ્રહના પ્રસંગોમાંના કેટલાક રાણા પ્રતાપ, લોકમાન્ય ટિળક, સરદાર વલ્લભભાઈ જેવા પ્રસિદ્ધ માણસોના જીવનની અપ્રસિદ્ધ ઘટાઓને, કેટલાક હરદેવ ચાચરિયાક કે મજૂર આગેવાન શેખ અબુબકર અને ચિત્રકાર ભેદવાર જેવા અપ્રસિદ્ધ છતાં માનવતાક્ષેત્રે મોટા માનવીઓના જીવનની ઘટનાને અને કેટલાક લેખકના સ્વાનુભવની ઘટનાને વર્ણવે છે.

મહર્ષિ મેતારજ જયભિખ્ખુનું પ્રિય પાત્ર છે. એમને નિમિત્ત બનાવી પોતાના સર્જનમાં વિવિધ રૂપે એમની કથાને એમણે વર્ણવી છે. સંગ્રહની પહેલી વાર્તા જેના ઉપરથી સંગ્રહને શીર્ષકનામ મળ્યું છે એ ‘માટીનું અત્તર’ પચીસસો વર્ષ પહેલાનાં શુદ્ર મુનિ મેતારજના જીવનપ્રસંગને આલેખે છે તો રાણા પ્રતાપની ટેકને અકબરશાહના દરબારમાં અણનમ રાખનાર એક કવિ અને રાષ્ટ્રને ઉદ્ધારવા સાવરણીની સળીથી લઈને સ્ત્રીના સૌભાગ્યકંકણ સુધીનું સર્વસ્વ સમર્પણ કરનાર વણિકનર ભામાશાના દેશપ્રેમની કથા વર્ણવાઈ છે ‘એક કવિ, એક વણિક’ વાર્તામાં. પ્રતાપરૂપી પડતા ભાણનો ઉદ્ધાર કરનાર ભામાશા તો જગપ્રસિદ્ધ છે પણ અકબરના દરબારના રાજકવિ પૃથ્વીરાય જેણે અકબરચિત્તમાં જેમ રાણા પ્રતાપની ટેકનું ઔદાર્ય ઉપસાવ્યું તેમ રાણા પ્રતાપના ચિત્તમાં દેશ કાજે પત છોડી અન્ય રજપૂતોની જેમ અકબરના દરબારની નોકરી સ્વીકારવાની લાલચમાંથી પ્રતાપને ઉગારી દેશના રાજપૂતી ભાણની આનને બચાવી એ અપ્રસિદ્ધ ઘટનાને માટીના અત્તરની મહેંકથી ઉપસાવી છે.

જેનું ‘જીવન વિપદા બારે માસ’ની જેમ પસાર થયું, જેણે અંગ્રેજોનો આ દેશમાંથી પગદંડો કાઢવા માટે કમર કસી અને એને કારણે અંગ્રેજ સત્તા