પ્રકરણ ૮
ગદ્યસર્જન અને સર્જનાત્મક ગદ્ય
ગુજરાતી સાહિત્યના સર્જનાત્મક ગદ્યના વિકાસમાં આજે તો અનેકદેશીય પ્રગતિની સોપાનશ્રેણી દેખાય છે. લલિત ગદ્યના નમૂનાઓનું એકાદ સંપાદન તો સુરેશ જોશીએ આ દાયકાના આરંભે જ પ્રકાશિત કર્યું હતું, અને આજે એવાં બીજાં બેત્રણ સંપાદનો તો સહેજે કરી શકાય એવી સ્થિતિ છે. બીજી તરફ એમ પણ કહી શકાય કે ‘સર્જનાત્મક ગદ્યમાં એક ડગલું આગળ’ - એની જાહેરાતો અવશ્ય કરી શકાય, એવો સમય આવ્યો છે ત્યારેય કેટલાક અભ્યાસીઓ-વિવેચકોએ સંતોષજનક હાશકારો દાખવ્યો નથી. આમ એક રીતે વિચારીએ તો સર્જકલક્ષી ગતિવિધિમાં સતત વહેતા રહેતા, અવનવીન પરિણામો દાખવતા રહેતા, સામગ્રી અને સ્વરૂપની વિવિધ શક્યતાઓ તાકતા રહેતા ગુજરાતી પદ્ય વિષે સિદ્ધિદાયી કશુંક તો - એકાદ ડગલું આગળ ગયા જેટલું - અવશ્ય પ્રાપ્ત થયું છે.
અલબત્ત, વિકાસદિશાઓ પ્રતિ સતત ગતિ હોવા છતાં, ગુજરાતી ગદ્યસાહિત્યને કોઈ વિશિષ્ટ રીતે મૂલ્યાંકિત કરી આપવાનું સાહસ ખાસ કોઈ કરતું નથી. ગુજરાતી ગદ્યનો સર્જન પરત્વે પદ્ધતિસરનો આરંભ થયો, ત્યારથી જ નર્મદ કે નવલરામ જેવાઓએ સંપૂર્ણ વફાદારી અને નિષ્ઠાથી એની માવજત કરવા માંડી હતી, એ સ્વીકારવું જ રહ્યું. એ પછી તો ગોવર્ધનરામ, કનૈયાયાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા અને એ પછીના આધુનિક સર્જન સાથે કોઈ વાર વિશિષ્ટ અને કોઈ વાર વિચિત્ર રીતે જોડાયેલા બીજા અનેકોએ સર્જનાત્મક પરિસ્થિતિઓનાં વિવિધલક્ષી પરિણામોમાંથી સુરેશ જોશીએ સારવીતારવીને ખૂબ જ સમજદારીથી - છતાં અનેકવિધ પ્રકારની દહેશતો સમેત - ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન’ પ્રકાશિત કર્યું હતું.
આ પ્રકારની અવઢવનું એક કારણ એ પણ હોઈ શકે કે ગુજરાતી