પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરંભે થોડીક વાત
 


— આ બધું તારવી-સારવીને સંશોધવાનું હતું. આ ગ્રંથ આજે તમારા હાથમાં આવે છે ત્યારે એ કાર્ય પૂરું થયાનો તૃપ્તિનો ઓડકાર મને આવે છે. શ્રી ધીરુભાઈ ઠાકરની એક ચિનગારીએ કેટલો મોટો પ્રકાશપુંજ પાથર્યો ! એમનો ઋણી છું.

ઋણસ્વીકાર તો અનેકનો કરવાનો રહ્યો.

જયભિખ્ખુનાં સ્વજનોમાં એમનાં ધર્મપત્ની સ્વ. જયાબેન, એમના પુત્ર અને આ ગ્રંથના પ્રકાશક, જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટના મંત્રી અને મારા પરમસ્નેહી ડૉ. કુમારપાળ દેસાઈ — અ. સૌ. પ્રતિમાબેન.... એ પરિવારે મને જયભિખ્ખુનું ઘણું સાહિત્ય અને એ નિમિત્તે હૂંફ, લાગણી અને પ્રેરણા આપ્યાં.

આ ઉપરાંત કેટલાય જૈન પરિવારોએ, પ્રકાશકોએ અને વિવિધ ગ્રંથાલયોના ગ્રંથપાલોએ મારા આ સાહસને પુરસ્કારીને ખૂબ ખૂબ મદદ કરી છે એ સૌનો આભારી છું.

મારું સંશોધનકાર્ય પૂર્ણ થાય એની વાત જોતા અનેક શુભેચ્છકોનું અહીં ભાવપૂર્વક સ્મરણ કરું છું. ખાસ તો આ કામ હાથમાં-મનમાં લીધું એ પછી આવેલા હૃદયરોગના હુમલાને કારણે ઘણા ચિંતિત બની ગયેલા. એ ગાળા દરમ્યાન સંશોધનપ્રવૃત્તિના ધબકારા ટકાવી રાખનાર મારી સંસ્થાના મિત્રો, અન્ય સાહિત્યકાર-વિવેચક મુરબ્બીઓ-મિત્રો અને વિવિધ શુભેચ્છકોએ જે હૂંફ અને પ્રેરણા આપ્યાં છે એ મારા જીવનનું અવિસ્મરણીય સંભારણું બની રહેશે. હૃદયરોગના હુમલાએ આપેલ ‘ફરજિયાત પથારી’એ પણ આ કાર્યમાં તો ખૂબ મદદ કરી છે.... અને હવે તો ‘સહુ સારા વાનાં’ થયાં છે – પરમેશ્વરનો પા‘ડે.

આ સંશોધન-મહાનિબંધના મારા માર્ગદર્શક – હવે તો પરિવારના સ્વજન-સહોદર સમા ડૉ. ચં. પૂ. વ્યાસ રૂપરેખાથી માંડીને છેક ઉપસંહાર સુધી સદા સતર્ક રહીને મૂલ્યવાન સૂચનો કર્યાં છે. મૂળ ગ્રંથો અને સંદર્ભગ્રંથોના ચયન માટે તથા લેખનના શબ્દે-શબ્દની વડાઈ માટે તેમનો આગ્રહ નોંધપાત્ર રીતે આ શોધનિબંધમાં નિવડી આવ્યો છે. આ શોધનિબંધ આજે ગ્રંથસ્થ થાય છે ત્યારે પણ ‘વનપ્રવેશ પછીની લગન’ એવો નાનકડો