પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જયભિખ્ખુ ખૂબ લોકપ્રિય સર્જક હતા, એટલે અજાણ્યા નહોતા. પણ તેઓના સમકાલીન કેટલાક સર્જકો તરફ વિવેચકોના લેન્સ સજ્જડ જામેલા ને તેથી જયભિખ્ખુને ઓછો ન્યાય મળ્યો. આનંદ એ વાતનો છે કે નટુભાઈએ જયભિખ્ખુના સાહિત્યને લગભગ અશેષ કહી શકાય એ રીતે પ્રકાશમાં આપ્યું છે; અને અધૂરામાં પૂરું જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યનો આગવો અભ્યાસ કરવાના મારા આગ્રહને તેમણે પરિતોષ્યો છે.

નટુભાઈનો શોધપ્રબંધ જયભિખ્ખુ ટ્રસ્ટ વતી ડૉ. કુમારપાળ દેસાઈ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરે છે, એ સાર્થ તર્પણ છે એમ માનું છું. ડૉ. કુમારપાળનો અને ટ્રસ્ટનો આભાર નટુભાઈ માનશે, હું તો આનંદપૂર્વક અભિનંદન આપું છું.

દાહોદ
તા. ૧૯-૩-૯૧
– ચંપૂ વ્યાસ