પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ક્યાંય અવકાશ નહીં. બધું જ રસથી કરે અને અપેક્ષાને ક્યારેય બોલકી ન બનવા દે.

ધીરજલાલ ટોકરશી શાહના 'જૈન જ્યોતિ' સાપ્તાહિકના તંત્રીની જવાબદારી એમણે સ્વીકારી હતી. ત્યારે ડૉ. બિપિન ઝવેરી એમના સહતંત્રી તરીકે જોડાયેલા હતા. સાપ્તાહિકનું કાર્યાલય રતનપોળની નગરશેઠ માર્કેટમાં હતું. જયભિખ્ખુ કાર્યાલયે સવારે અગિયાર વાગે આવતા. બિપિન ઝવેરીએ એમના આગમન પછીની એમની પ્રવૃત્તિનું વર્ણન આમ કર્યું છે :

'પશ્ચિમ દિશામાંથી બાલાભાઈ આવે. કોટ ઉતારીને ફોલ્ડિંગ ખુરશી પાછળ ભેરવે. ટોપી ખીલા પર ભેરવે. પોતે ખુરશી પર ગોઠવાય. એક પ્યાલો પાણી પીએ અને પછી ધીરે ધીરે એમનું સંપાદનકાર્ય થાય.'

જયભિખ્ખુ એમાં અગ્રલેખ લખતા, વાર્તા લખતા અને છેલ્લા પાને વિવિધ રસપ્રદ માહિતી લખતા. પેજ પડાવવા સુધીનું કામ એ કરતા. એમના અક્ષરના સંદર્ભે પૂર્વજીવનમાં એ રોમન હોવાની સંભાવના બિપિન ઝવેરીએ કરી છે. એ ગાળામાં જ જયભિખુ 'વિદ્યાર્થી ' સાપ્તાહિકમાં પણ લખતા


વિસનગરમાં યોજાયેલ 'શ્રી જયભિખુ : પ્રયોજના અને પ્રદર્શન'નું નિરીક્ષણ કરતાં શ્રી ગિજુભાઈ, શ્રી ધીરુભાઈ ઠાકર, શ્રી જયભિખ્ખુ અને શ્રી જતીનભાઈ આચાર્ય

જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૧૬