પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત પુનિત મહારાજ અને ‘જનકલ્યાણ'ના પૂર્વતંત્રી ‘પુનિતપદ રેણુ' સાથે

હતા. વળી ત્યારે જ 'રવિવાર' સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. જયભિખ્ખુએ 'રવિવાર' માટે 'રસપાંખડીઓ' નામક લેખ મોકલ્યો. એ વાંચીને એના તંત્રી ઉષાકાન્ત જે. પંડ્યા એવા પ્રભાવિત થયા કે એમણે એ લેખ પ્રસિદ્ધ કરતાં એના મથાળે 'રસપાંખડીઓની સુગંધથી વાચકોનાં હૃદય મ્હેકી ઊઠે એવું એમાં છે' એવી નોંધ મૂકી હતી. વળી જયભિખ્ખુને સાપ્તાહિકમાં કૉલમ લખવાનું નિમંત્રણ પણ પાઠવ્યું. ત્યારથી એ 'રવિવાર' સાપ્તાહિકમાં નિયમિત લખતા થયા. પ્રારંભે લેખ અને પછી વાર્તાઓ લખી અને જયભિખ્ખુની કૉલમયાત્રા પ્રારંભાઈ. ‘રવિવાર'ની લોકપ્રિયતા સાથે જયભિખ્ખુની લોકપ્રિયતાની સ્પર્ધા જામી. જેનો ઉભયને લાભ થયો. ચરિત્રકાર ‘ભિક્ષુ સાયલાકર' પ્રેરકકથાઓ 'વીરકુમાર' ઉપનામે લખતા હતા.

'રવિવાર' સાપ્તાહિકની કૉલમથી પ્રાપ્ત લોકપ્રિયતાએ જયભિખ્ખુને ‘સવિતા'ના ધર્મકથા વિશેષાંકનું સંપાદન કરવાની તક મળી. એ જ રીતે ધૂમકેતુ સંગાથે એમણે 'જનકલ્યાણ'ના વિશેષાંકનું સંપાદન કર્યું. એમની સંપાદનસૂઝના લીધે પછી ‘વિશ્વવિજ્ઞાન” અને 'વિશ્વમંગલ'ના વિશેષાંકોનું સંપાદન કરવાની જવાબદારી પણ આવી. પ્રત્યેક સંપાદનમાં એમની સંપાદકીય


૧૭
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ