પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'શ્રી જયભિખ્ખુની કલમ એ જલબિંદુને ઝીલતા ચાતકનો રોમાંચક તલસાટ વ્યક્ત કરે છે અને એમાંથી જીવનસિંધુનો રમ્ય ઘુઘવાટ સંભળાય છે.'

કોલકાતામાં યોજાયેલ શ્રી જ્યભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સમારોહ

ભાવ-ભાવના જયભિખ્ખુનો સ્વભાવ હોઈ સંબંધ બાંધવા-નિભાવવા એમની તાસીર હતી. મિત્રો બાબતે એ સમૃદ્ધ હતા. આ સમૃદ્ધિમાં એમનો હિસ્સો એમની સહકારભાવના હતી. પ્રખ્યાત જાદુગર કે. લાલ સાથેના એમના સંબંધ સંદર્ભે જાદુઈ અસર કોની એ જ ન સમજાય તેવી ઘટના હતી. 'કે. લાલ ગુજરાતમાં જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમની પહેલાં એમના વિશેની જાદુગીરીની જાણકારી જયભિખ્ખુની કલમ દ્વારા સહુને મળી હતી. બંને રસિયા માણસો ! બંને જીવનના ખેલાડી ! બંનેનો પરસ્પર અગાધ સ્નેહ ! ક્યાં સાહિત્યકાર ! ક્યાં જાદુગર ! શ્રી જયભિખ્ખુની કલમથી આ મહાન જાદુગરને વિવિધ સ્થળોએ ગુજરાતે આત્મીયતા અર્પી.'

આ જાદુગરને જ એમની ષષ્ટિપૂર્તિ ઊજવવાનો વિચાર આવ્યો. આ વિચારને પુષ્ટિ મળી મહંતશ્રી શાંતિદાસજીની. મુંબઈ-કોલકાતા જેવાં મોટાં શહેરોમાં જયભિખ્ખુની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માન કાર્યક્રમો યોજાયા હતા. આ સન્માનમાં એમને થેલી અર્પણ થઈ હતી, પરન્તુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર


૨૭
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ