પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોલકાતામાં યોજાયેલા ‘જ્યભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સમારોહ' પ્રસંગે ઉપસ્થિત પ્રેક્ષકગણ

કરનાર જયભિખુ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા ? સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીને સ્વીકારીને એમણે એનો વિનિયોગ સમાજમાં સાહિત્યના પ્રચારાર્થે કરવાનો ખ્યાલ રજૂ કરીને યોજકોને એ રકમ સવિનય પરત કરી. કે. લાલે પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને ‘જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ'ની સ્થાપના કરી. આ ટ્રસ્ટ આજે પણ કાર્યરત છે.

જયભિખ્ખુ વણિક હોવા છતાં સ્વભાવે એ ભીરુ નહોતા કે નહોતા કેવળ સમાધાનના માણસ. પ્રસંગ પડે એમની ભીતરનો નીડર પુરુષ અબોલ નહોતો રહેતો. માદલપુર જેવા ભરચક વિસ્તારમાંથી સાબરમતીકાંઠે નિર્જન વિસ્તારમાં એમણે પોતાનું મકાન બાંધ્યું અને એ વિસ્તારમાં નિર્ભયતાથી રહ્યા. 'આ સ્થળ નિર્જન એકાંત હોવાથી અહીં માથાભારે તત્ત્વોનો પણ નિવાસ હતો. તેમની વચ્ચે પોતાના એકના એક પુત્ર અને પત્નીને દિવસભર એકલાં છોડી શહેરમાં પોતાનાં રોજિંદાં કાર્યો માટે જવાનું અને રાત્રે અંધારામાં નાની કેડી પર રાહ શોધતાં ઘેર પાછા આવવાનું કોઈ પણ સુખી શ્રાવક શ્રેષ્ઠી પસંદ કરે જ નહીં. આવી મુશ્કેલીઓ અને અગવડો હોવા છતાં શ્રી બાલાભાઈએ


જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૨૮