પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરવાનું કાર્ય હાલ તુરતમાં ઉપર બતાવેલાં કારણોએ હાથ ધરી શકાય તેમ નથી. એથી આ લઘુ પુસ્તિકા પ્રસિદ્ધ કરીને સંતોષ માનવો રહ્યો.

આ પુસ્તક સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ લેખકો શ્રી. ઝવેરચંદ મેઘાણી અને શ્રી કકલભાઈ કેાઠારીની કલમથી લખાઈને “ઝંડાધારી” નામથી પ્રસિદ્ધ થયું હતું - જેની ત્રણ આવૃત્તિ પ્રસિધ્ધ થઈ ચૂકી છે. તે પુસ્તકનું પુનઃ પ્રકાશન કરવા સભા તરફથી આર્યપ્રકાશના માજી તંત્રી શ્રી હરિશંકર વિદ્યાર્થીએ સ્ટેટસ પીપલ લી. વાળા શ્રી. અમૃતલાલ શેઠની પરવાનગી માટે લખ્યું. છાપવાના ઉદ્દેશ ધનની કમાણી કરવી એ નહિ, પણ જનતામાં આ પુસ્તકની અલ્પમાં અલ્પ કિંમતે લહાણી કરવી એ છે. ઋષિ-ભક્ત શેઠ અમૃતલાલ ભાઈએ પંડિતજીની વિનંતિનો હર્ષ સાથે સ્વીકાર કર્યો તેને માટે મું. પ્ર. આ. પ્ર. સભા શ્રી શેઠનો ઘણો જ આભાર માટે છે. શ્રી. શેઠ અમૃતલાલના પત્રની પ્રતિલિપી આ પ્રમાણે છેઃ-

"ભાઈશ્રી,

આપનો તા. ૧૩-૧-૪૨નો પત્ર મળ્યો છે. સૌરાષ્ટ્રના પ્રકાશનોના સર્વ હક સ્ટેટસ પીપલ લીમીટેડે વેચાતા લીધા હોઈને આ પત્ર સ્ટેટસ પીપલ લીમીટેડ તરફથી લખું છું, સ્વામી દયાનંદજીના પુસ્તકનું સસ્તી કિંમતે તમે પુનઃ પ્રકાશન કરો છો એ જાણીને અમને હર્ષ થયો છે, અને તમારા તે પ્રકારના શુભ કાર્યમાં અમારી સહાનુભૂતિ અને સહકારનો તમારો અધિકાર હોઈને એ બદ્દલ કોઈ પણ પ્રકારના બદલાની અમે ઇચ્છા રાખતા નથી. તમને યોગ્ય લાગે તો કંઈ પણ બદલા વગર આ પ્રકાશન માટે અમે રજા આપીએ છીએ એનો સ્વીકાર તમારા પુસ્તકમાં કરશો.


લી. સેવક
અમૃતલાલ શેઠના વં. મા"