પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૩]


“કોણ છો ?"

“સંન્યાસી"

“તમારૂં નામ?”

“દયાનંદ સરસ્વતી. દયાનંદે વિનયપૂર્વક જવાબ ધર્યો.

સંન્યાસીનું દ્વાર ઉઘડ્યું અને દયાનંદને શિષ્યની દીક્ષા મળી. છત્રીસ વર્ષની ઉંમરે, જ્ઞાનની પ્રબળ પિપાસાવાળા દયાનંદે, જુવાનના ઉત્સાહથી ગુરૂની ભક્તિ આદરી. દયાનંદે અંધ અને અશક્ત ગુરૂની બધી રીતે ખૂબ પ્રેમથી ચાકરી કરવા માંડી. ગુરૂનાં કપડાં ધોવાં, એમને માટે દૂરથી પાણી ભરી લાવવું, ગુરૂનું ઘર વાળીચોળીને સાફ કરવું, ગુરૂને માટે રસોઇ કરવી, વગેરે ગુરૂસેવા દયાનંદે હર્ષપૂર્વક કરવા માંડી અને બદલામાં એ પ્રખર વિદ્વાન પાસેથી જ્ઞાનનું પિયુષ પીવા માંડ્યું. દયાનંદની અત્યંત કાળજીભરી સેવા છતાં ગુરૂનો ઉગ્ર સ્વભાવ કેટલીયે વખત નિષ્કારણ તપી જતો. દુર્વાસા સમા ક્રોધી વિરજાનંદ દયાનંદ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા; કોઇ કોઇ વખત એને માર પણ મારતા અને ઘરમાંથી યે કાઢી મૂકતા. દયાનંદ એ બધા પ્રહારોને ગુરૂની પુષ્પાંજલિ ગણી વધાવી લેતા, અને ગુરૂભક્તિમાં રજમાત્ર પણ શિથિલ બન્યા વિના જ્ઞાન સંપાદન કર્યે જતા. એક વખત તો ગુરૂએ દયાનંદને લાઠીથી એવો સખત માર મારેલો કે એનો કાળો ડાઘ દયાનંદના હાથ ઉપર જીન્દગીભર રહ્યો. એ છતાં દયાનંદની ઉત્તરાવસ્થામાં જ્યારે તેમણે વિરજાનંદના મૃત્યુના સમાચાર સાંભળ્યા. ત્યારે ગદ્ગદિત કંઠે શ્રોતૃવર્ગની પાસે હૃદયોદ્ગાર કાઢેલા કે “આજે સંસ્કૃત વાઙ્‌મયનો ભાસ્કર અસ્ત પામે છે.” દયાનંદ સ્વામીને છેવટ સુધી ગુરૂ પ્રત્યે એટલો અગાધ પૂજ્યભાવ હતો.

એ સંસ્કૃત વાચસ્પતિને ચરણે દયાનંદે સંસ્કૃત ગ્રંથોનો અઢી વર્ષ સુધી ઉંડો અભ્યાસ કર્યો અને ગુરૂએ પણ શિષ્યની