પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૨ ]


કાશીમાં સ્વામીજી મુસલમાન મતની પણ ત્રૂટીઓ બતાવી ખંડન કરતા હતા તેથી મુસલમાનોને એમના ઉપર ભારે રોષ ચડેલો. એક દિવસ સાંજરે ગંગાતટ પર આસન લગાવીને સ્વામીજી બેઠા. દૈવયોગે મુસલમાનોની એક ટોળી ત્યાં થઇને નીકળી. પોતાના ધર્મના ટીકાકારને એાળખ્યો. બે પહેલવાનો ધસી આવ્યા. સ્વામીજીને ઉપાડીને ગંગામાં ફેંકવા લાગ્યા. બન્ને જણાએ બન્ને હાથ વતી સ્વામીજીનાં બે બાવડાં પકડ્યાં અને એ રીતે એમને ઝુલાવીને પ્રવાહમાં ફગાવી દેવા જતા હતા, ત્યાં તો સ્વામીજીએ પોતાની બન્ને ભુજાઓ સંકેલીને પોતાના શરીરની સાથે દબાવી દીધી. બન્ને મલ્લોના ચારે હાથ સ્વામીજીની બગલમાં સપડાઇ ગયા ! પછી તો મગદૂર શી કે હાથ સરકાવી શકે ? એમ ને એમ સ્વામીજીએ જોરથી ઉછાળો મારી ગંગામાં ઝંપલાવ્યું. પેલા બન્ને જણને પણ સાથે જ ઘસડતા ગયા. પોતે પાણીમાં ડુબકીઓ મારીને બને મલ્લોને થોડાં ગળકાં ખવડાવ્યાં અને પછી છોડી દીધા. મુશ્કેલીથી બન્ને જણા બહાર નીકળ્યા. કાંઠે ઉભેલું ટોળું આથી ખૂબ ચીડાઇ ગયું. બધા હાથમાં પત્થરો લઇને સ્વામીજીના બહાર નીકળવાની રાહ જોતા બેઠા. દૂર પાણીમાં પડ્યા પડ્યા સ્વામીજી દુશ્મનોની આ મતલબ સમજી ગયા, એટલે પોતે પણ શ્વાસને રૂંધીને પદ્માસન લગાવી પાણી પર બેઠક જમાવી. અંધારૂં થઇ ગયું. પેલા સમજ્યા કે બાવો ડુબી મુવો. મલકાતા મલકાતા ચાલ્યા ગયા. એટલે સ્વામીજીએ પણ પાણીમાંથી નીકળીને અધૂરી રહેલી સમાધિ ફરીવાર લગાવી.

એક દિવસ બજારમાં એક ફાટેલો સાંઢ લોકોની પછવાડે દોડતો, કૈંકને કચરતો ને પટકતો ધસ્યો આવે છે. લોકો ઓટલા