આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માજી
[૨૪]
મરી જાય, દીકરો મરી જાય, ભાઈથી નેાખા રહેવું પડે, કોડીઆ જેટલી એારડીમાં પડ્યા રહેવું પડે, એ બધું ડોશીને માટે જાણે કાયદા પ્રમાણે લાગતું હતું.
“માજી, આ રોટલો શેનો ?”
“ઈજ હું કહેતી'તી ને ખરકને ત્યાંથી આવ્યો છે."
“પણ આજ તો રામનવમી છે.”
“હા, એટલે તો વડીનું શાક ભાઈને ત્યાં મોકલ્યું ને આ રોટલો કૂતરાને નાખીશ."
મને થયું કે આ રોટલો પવિત્ર છે. દયાધર્મ સમજી ખરકે બાઈને આપ્યો છે કૂતરાને મળે કે હું ખાઉં એમાં વાંધો શું છે ?
“માજી, મને ખાવા આપશો ?”
“તમે શું કામ ખાઓ ભા?”
“મને ભૂખ લાગી છે. મારે તો રોટલો ખાવો છે. હું તમારે દીકરો છું, એમ ગણીને રોટલા ખવરાવો.”