આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિ વે દ ન
આપણી બાળગ્રંથમાળાના ૪ થા વર્ષની ૧ લી ચો૫ડી
તરીકે સ્વ. શ્રી. ગિજુભાઈની “કલમની પીંછી” નામની
ચોપડી ધરતાં અમને આનંદ થાય છે.
જીવતાં પાત્રોને જોઈને - અવલોકીને સ્વ. શ્રી ગિજુભાઈની કલમે જીવંતપાત્રો શબ્દો દ્વારા જે રીતે આ ચોપડીમાં રજુઆત છે તે ખરેખર અદ્ભુત છે. આ ચોપડીનાં ચિત્રો તેમની પુત્રી શ્રી સુશીલાબેને દોર્યાં છે.
ગુજરાતનાં બાળકોને સ્વ. ગિજુભાઈની આ ચોપડી ગમી જશે એવી અમને આશા છે. આ લખીએ છીએ ત્યારે એમની ખોટ અમને સાલ્યા વિના રહેતી નથી. પ્રભુ એમના આત્માને શાંતિ આપો.
સંપાદકો