પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ને એટલું તો સમજું ય છું, કે
' 'શોધું સદા તે નહિ લાધવાનું.'

'મ્હારી કને વાળુ પછી બિછાવી
'અશ્રુ બલે સર્વ ગળી કહ્યું, કે :
' 'હું દૂરનાં ખેતરમાં ભમું છું,
' 'પાછી ફરૂં તે પ્રભુની કૃપા છે.

' 'આ મ્હોં પરે જોઇ રહ્યો દુ:ખે તું,
' ' ખરે જ છે કારણ દૃષ્ટિને એ;
' 'મ્હારૂં ગયું છે બદલાઈ હૈયું
' 'ભમી બધો કાળ ગુમાવતાં આ.

' 'આ બાપડા બાલકને, અરેરે
' 'રોઈ હશે મેં નુકશાન કીધું;
' 'બેભાનને માફ પ્રભુ કરે છે,
' 'મ્હારો ય છે દોષ નહીં બહુ તો.

' 'રોતાં સૂઉં ને રડતાં ઉઠું છું,
' 'તે આ પશુડું નિરખી રહે છે;
' 'આ તો વહે અશ્રુ સદા ય જાણે
' 'હું આ બની અન્ય શરીર જેવી !

' 'લાગે મને હું ન મરીશ કો દી,
' 'જીવીશ તો હું પ્રભુ પાસ માગી
' 'જે જોઉં તે જોઇ બધુંય ર્-હેવા
' 'છાતી હવે વજ્રની પામવાને.'

* * *



'સાહેબ, એને નિરખો તો તો
'જાણું નકી ભૂલી કદી ન જાશો;
'એ વાત આજે ય તરી નગાહે
'ભાલા સમી ખૂંચી રહે મને તો.

'મ્હારી દિસે વાતે બહુ જ લાંબી,
'થાક્યા હશો એ સુણતાં કદાચ;
'એ બાઈ કિન્તુ બહુ વાર મ્હારા
'હૈયા મહીં ભૂત સમી ઉઠે છે.

કલાપીનો કેકારવ/૨૦૪