પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છતાં ય અશ્વો હજુ પાસ આવે,
દૂરે જરા એ મૃગલી ખસે છે;
ચોટેલ એ દૃષ્ટિ તહીં જ તો યે
'નહીં ! નહીં !'ની ફરિયાદ રોતી.

એ માનવી એ મૃગ પાસે ઉભાં,
જરા વધુ દૂર મૃગી ખસે છે;
પ્રભુ કને રાવ પોકારતી શું
આધીન એ દૃષ્ટિ તહીં જ ચોટી.

મૃગી થઈ દૂર જ એટલું એ
છેલ્લી ઘડીમાં પણ જાણતો'તો :
છેલ્લા ય શ્વાસો મહીં સ્નેહના એ
નિ:શ્વાસને ખેદથી યોધ જોતો.

છેલ્લો જ એ સ્નેહ તણો નિસાસો -
સમુદ્રના ઊર્મિ સમો રસાળો;
ચાલી જતી શ્વાસની ઓટ માંહીં
છેલ્લું જ મોજું ભરતી તણું એ.

સામે જ ઉભેલ હમીરજીને
મૃત્યુની દૃષ્ટિ ઠપકો દઈ કૈં;
નિઃશ્વાસ ને ત્યાગ મહીં ઠરે છે,
ધરી રહે છે પછી ભાવશૂન્યતા.

સંસારની સત્ત્વપ્રધાનભાવિણી
જે દેવીને યોધ સુણી રહ્યો'તો -
તે સર્વવ્યાપી તણી મૂર્તિ આંહીં
હમીરની દૃષ્ટિ પરે તરે છે.

બની સકે તો મૃગને બચાવી,
તેની મૃગીને ફરી સોંપવાને
ઇચ્છા ઉઠે યોધૌરે પરન્તુ
નિઃશ્વાસથી ના વધુ કૈં બની શકે.

દવા તણો કાળ બધો ગયો છે,
ઉપાય તો મૃત્યુ તણો રહ્યો છે,


કલાપીનો કેકારવ/૩૯૯