પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશ
૧૦૭
 




દ્વિરંગી જ્યોત

• રાગ માઢ — તાલ ગઝલ — પશ્તો •


ધ્રૂજી ધ્રૂજી જળે ને ધગધગે
જગે જીવનની રસજ્યોત :
જળે જળે છતાં લળી ઝગઝગે,
એવી જીવનની અમીજ્યોત !—( ધ્રુવ )

સોનલ કોડિયે અમૃત ભરિયાં,
કિરણવણી મહીં વાટ ;
વેદનઝાળથી તે સળગાવી,
જળતી ઝગે જગપાટ રે !
એવી જીવનની અમીજ્યોત ! ૧

અંદર અમૃતરસ ભર છલકે,
ઉપર વેદનઝાળ :
અમૃતપાન કરે તે જળે હો,
સંતોનો પંથ કરાળ રે !
એવી જીવનની અમીજ્યોત ! ૨