પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
કલ્યાણિકા
 

અંધારે ઊગશે તારલા ને
કાંટે ફોરશે ફૂલ ;
જળવું જગતને બારણે ને
ઝબકી લઈ થવું ગૂલ રે !
એવી જીવનની અમીજ્યોત ! ૩

દારુણ વેદના હો એ ભલે, પણ
અંતરબળ દે એ જ :
વાદળવહન વિના નહીં વૃષ્ટિ ને
અગ્નિ વિના નહીં તેજ રે !
એવી જીવનની અમીજ્યોત ! ૪

ક્યાં લગી જળતું આ જીવન જાશે,
ક્યાં છે એ પ્રશ્નનું કામ ?
જ્વલન જશે તો એ જ્યોતે બુઝાશે :
ક્યાં રહેશે જીવન નામ રે ?
એવી જીવનની અમીજ્યોત ! ૫

જીવનજોગી હો ! દિલડું જળાવતો
અમૃત પીજે એ એમ !
જ્યોતિફુવારા એ ઊડશે ને કરશે
સહુનું કલ્યાણ ને ક્ષેમ રે !
એવી જીવનની અમીજ્યોત ! ૬