પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટિપ્પણ
૧૩૭
 


ટિપ્પણ

કવિએ કલ્યાણ સાધવા માટેની આ ભજનમાળા પાંચ ખંડ પાડેલા છે. ઝંખના, આવરણ, સાધન, પ્રકાશ અને આનંદ; અને એ પાંચે ખંડનાં ભજનો એક જ દોરામાં પરોવેલાં છે. ભક્તિમાર્ગ પર ચઢેલા માનસનો વિકાસ એમાં ક્રમેક્રમે સાધતો પ્રત્યક્ષ થાય છે.

પૃષ્ઠ ૩. થાળની ભેટ. વિવિધતાને વિચિત્રતાથી ભરેલા વિશ્વમાંથી તીર્થે તીર્થે ભટકીને બધામાંથી અમૃતરસ લઈને પ્રભુને ધરાવવા માટે કવિ થાળ તૈયાર કરે છે. કાશી જેવાં અનેક તીર્થોથી પવિત્ર જળ ભરી લાવતા કાવડિયા સાધુની જેમ આ કવિની થાળમાં પણ અનેક અમૃતરસ ભરેલા છે.

કડી ૪. વેદના રૂપી અમૃતવડે જામેલો આંખમાંથી ઝરતો હ્રદયકમળનો રસ-એ મારું અમૃત તત્ત્વ છે, અને વિશ્વમાં બીજે સ્થળે એ જડે એમ નથી. જગતની વેદનાના અનુભવે આર્દ્ર બનેલા હૈયાનો રસ-ભક્તિભાવ-એને કવિ પોતાના જીવનનું અમર તત્ત્વ-ઈશ્વરને ભેટ ધરવા યોગ્ય ગણાવે છે.

પૃષ્ઠ ૫. અમૃત તૃષા. જગતના દુઃખમય અનુભવોને લીધે દિલમાં દાહ ઊઠ્યો છે. તેને મટાડે એવા અમૃતની તીવ્ર ઉત્કંઠા પ્રદર્શિત કરે કવિ સંતોને ઈશ્વરના ભક્તોને પોતાની સાથે લેવા વિનવે છે.

કડી ૪ - કારણ કે પાર્થિવ જળથી સંતોષાય એવી અમારી તૃષા નથી. કોણ જાણે શાથી આ બળતી ને બાળતી પૃથ્વી પર અમે આવી પડ્યા છીએ ! અર્થાત્ બાહ્ય જગતની વસ્તુઓ આત્માની તૃષા સંતોષી શકે એમ નથી.

કડી ૫ - એ અમૃત - નિર્વાણ, મોક્ષ, ઈશ્વરસાન્નિધ્ય, પ્રભુકૃપાનાં અમૃત- માટેની તરસની પીડા ઘણી સખ્ત છે. આખું જીવન વેદનાભરપૂર-બળતા રણ જેવું લાગે છે. કવિ સંતો ને ભક્તો પાસે માગણી કરે છે કે આ એક જીવનની નહિ પણ ભવેભવની તૃષા મટાડે-જીવનનાં અંતિમધ્યેયનો સાક્ષાત્કાર કરાવે-એવું અમૃત મને કોઈ મેળવી આપો.

પૃષ્ઠ છ. પ્રભુપ્રેમના પાગલ અમે પ્રભુ પ્રેમમાં ઘેલા બની ગયા છીએ. બીજી કોઈ વસ્તુમાં અમારું ચિત્ત ચોંટતું નથી.

કડી ૨ - જગતનો ત્યાગ કરનારા સંન્યાસી શરીરે ભસ્મ ચોળે છે. અમે ઈશ્વરના પ્રેમમાં એટલા મસ્ત થઈ ગયા છીએ કે અમે બાહ્ય જગત બાળીને