પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


તીરથ તીરથ અટણ કર્યું મેં,
સૌ તમ રૂપવિહારો :
અંજલિ અંજલિમાં અમી એ લઈ
થાળે ભર્યો રસ ન્યારો !
કૃપાઘન ! મારી આ થાળ સ્વીકારો ! ૩

આંખે ઝર્યાં વેદનામૃતે જામ્યો
હૃદયકમળરસ મારો ;
મારું અમી એ જડે ન બીજે કહીં :
લ્યો, લ્યો, હે નાથ, ઉદ્ધારો !
કૃપાઘન ! મારી આ થાળ સ્વીકારો ! ૪