પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
(૧૦)


સંદ્યાકરથી લાખો જ્યોતિ નભે સળગી રહે,
તમ કરથી સળગી ત્યમ કૈક જીવનની જ્યોત;
ઝળહળતા ભાગ્યાક્ષર કૈકતણા ઝબકી ઊઠ્યા,
જીવનવ્યોમ દીથો નવચેતનનો ઉદ્યોત !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૮

સુખમાં સુખતો તમે ગણ્યું બસ વિદ્યાદાનમાં;
દુખમાં દુખ જીવનમાં દેખાડ્યું અજ્ઞાન;
રવિશાં તેજે ને તાપે તમ નયન ઝગારતાં,
પણ ઉરથી સહુ પામ્યાં ચંદ્રસુધારસપાન !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૯

કૈક વસંત અને હેમંત વહી ગઇ પૃથ્વીએ,
તમ જીવન તો ધન્ય વિરાજે પ્રભુઉરમાંય ;
એ કલ્યાણપથે પદ ધરતી આ "કલ્યાણિકા"
તમ ચરણે મૂકી હું થાઉં કૃતાર્થ સદાય !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૧૦