પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મને વખત નથી

આ એક રસિક વાર્તા નથી. ટૂંકી નોંધ માત્ર છે. એક સાચા બનેલા પ્રસંગની નોંધ છે. અને એમાં નાયક છે એટલા પૂરતી એને વાર્તા કહો તો જુદી વાત !

લોકશાસનમાં પત્રકારોને અને નેતાઓને પરસ્પર સ્નેહ, સબંધ, સગપણ ઘણું વધી જાય છે. પત્રકારોને અને નેતાઓ અને નેતાઓ વડે પત્રકારો. અલબત્ત, નેતાઓ એમ માનતા નથી એ જુદી વાત છે.

નેતાઓ પોતાના નેતૃત્વને આધારે પોતાની સેવાવૃત્તિ ઉપર રહેલો માને છે. છતાં પોતાના ભાષણની લાંબી નોંધ, પોતાની સભાનો ઝળકતો અહેવાલ; પોતાની સુશોભિત છબી, પોતાના કાર્યક્રમના સમાચાર અને પોતાનાં નિવેદનો અમુક પાન ઉપર અમુક ઢબે જ આવે છે કે નહિ તેની બહુ જ કાળજી રાખતા હોય છે. એટલે નેતાગીરીએ પત્રકારોને છેક કાઢી નાખવા જેવા તો ન જ કહેવાય. તેમની ઈચ્છાનુસાર અહેવાલો ન આપીએ તો તેમને ખોટું પણ લાગે છે એ હું જતઅનુભવથી જાણું છું.

હું હજી પીઢ પત્રકાર નથી. પાંચછ વર્ષનો શિખાઉ પત્રકાર