પૃષ્ઠ:Kankavati.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવશક્તિની સામે માનવશક્તિ

ચોમાસાના લાંબા દા'ડો, સૂતાં સાવ ને બેઠાં વાણાં વાય ને “લો મા'દેવજી. ચોપાટે રમીએ."

કે, “આપણું હાર્યું કણ કે શે!”

માદેવજીએ તો ડિલનો મેલ ઉતારી, એનો બલો બનાવ્યો છે. એમાં તો જીવ મેલ્યો છે.

બહૂલા, બડૂલા, અમારું હાર્યું જીત્યું કે'જે."

કે', “સારું જ તો !”

બડૂલો હારજીતનો સાક્ષી બનીને છે. ત્રણ વાર પાસા ઢળાય છે. ત્રણ વાર પાર્વતીજી પૂછે છે:

“કહે બડૂલા, કોણ હાર્યું ને કોણ જીત્યું?”

ત્રણેય વાર બડૂલો ઉત્તર વાળે છે કે

માતાજી હાય ને પત્યાજી જીન્યા."

કોપાઈને પાર્વતી કહે છે કે

વારે વારે મને હારી કહીશ તો તને શરાવીશ.”

નમીને સત્યનિષ્ઠ બડૂલો બોલે છે કે

"માતાજી, કાલ શરાપતાં હો તો આજ જ શરાપજો. મેંથી તો એવું જોયું હશે તેવું કેવાશે."

આખરે પાર્વતીજી શાપ દે છે અને –

બડૂલો તો રગત-કોઢમાં ગળ્યો છે.

છતાંયે કશી ક્ષમા માગ્યા વિના, એ સત્યવ્રતધારી બાળક ચૂપચાપ એ શાપના સંતાપો સહતો સહતો ચાલી નીકળે છે. એ સત્યનો પડકાર અસત્યવાદી ઈશ્વરી શક્તિની સામે નોંધાયો.

(2) વનડિયાની વાતમાં અખંડ કુમારિકા, પુરુષની વાતોયે ન સાંભળવાનાં એનાં

નીમઃ બધાં વ્રતોની વાતો સાંભળે પણ પુરુષ જાતિના દેવ વનડિયાની વાત મંડાય એટલે એ કુમારિકા ચાલતી થાય. ગર્વિષ્ઠ દેવતા ઘવાયો. એ કુમારીના શયનભવનમાં રોજ મધરાતે ભમરાને વેશે પ્રવેશ કરી, નિદ્રામાં પડેલી બાળાના બિછાનામાં ને દીવાલે, અબીલગુલાલ, તંબોલની પિચકારી અને ફૂલેલ તેલ છાંટી આવે. પણ એ સતીના શિર પરનું કલંક મનાયું નહિ. મલિન દેવતા મધરાતે પોતાનું કાળું કામ કરતો ઝલાયો અને ફરી કદી ન આવવાનું કબૂલ કરી, કરગરી મુક્ત થયો. દેવતાના ગર્વ પર માનવીના શિયળની સ્થપાયેલી આ સત્તા લોકજીવનમાં કલ્પાઈ ને તે વ્રતોમાં ઊતરી, બેશક બાળકની રીતે. 304 લોકકથા સંચય