આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
- "મારા સૂર્યનારાયણ તો પરણવા આવશે ને."
- "તમારી જાદવ કુળની જાન,
- મારે કશી સગવડ છે નહિ ને."
- "વડીઓ પાપડની સોરામણ રાખવી નહિ ને,
- પીરસાં રાંધવાની સોરામણ રાખવી નહિ ને,
- સૂર્યનારાયણ પાસે અક્ષેપાતર છે ને;
- પાંચે પકવાન ઊભરાશે ને
- નાતજાતો જમી રહેશે ને.
- સૂર્યનારાયણ લગ્ન નિરધારી પરણવા આવ્યા ને,
- એમને ઘેર તો તેત્રીશ કરોડ દેવ લઈને આવ્યા ને,
- રન્નાદેને મંડપમાં પધરાવ્યાં છે ને;
- ચારે મંગળ પરિપૂર્ણ થઈ રહ્યાં ને,
- જાન તો ભાવતાં ને ફાવતાં જમે છે ને,
- તેને કશી ન્યૂન નથી ને,
- રન્નાદેની માએ મળી એવી યથાશક્તિ પહેરામણી આપી ને,
- રન્નાદેને વિદાય કર્યા ને.
- ત્યારે સૂર્યનારાયણ ઘેર આવ્યા ને,
- ત્યારે તેમણે જ ઊગવા જવા માંડ્યું ને,
- રન્નાદેએ કહ્યું: " સાકરનું પાણી પીતા જાવ ને.
- મારે જમવાની છૂટી થાય ને."
- "હું તો જગતનો પિતા કહેવાઉં ને
- "મારે તો કીડીથી કુંજર સુધી પૂરું કરવાનું ને
- "મારાથી જમાય નહિ ને."
- સૂર્યનારાયણ તેમ કરી ઊગવા ગયા ને,
- ત્યારે રન્નાદેએ વિચાર કર્યો ને
- એ કીડી કુંજરને પૂરું કરે છે ને
- આજે આપને નેટુ જોઈએ ને.
- એક કીડી હશે ને,
- જતી'તી ડાબલીમાં નાખી ને.
- રન્નાદેએ નાહી ધોઈ ને ચોખાનો કપાળમાં ચાંલ્લો કર્યો હતો ને,
- જેવી ડાબલી અડકાવા જાય છે
- તેમ ચોખાનો દાણો ડાબલીમાં પડી ગયો ને,