પૃષ્ઠ:Kankavati.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ક્યાં રે હશે મારા ભાઈ ને બાપ !
ક્યાં રે હશે મારા સસરા ને યામ!

વનદેવી જાણે આશ્વાસન આપે છે. ઉદયગિરિના શૃંગ પર સૂર્યોદયની પ્રભા દેખાય છે. ઉદયગિરિને ફૂલ ચડાવવીને કન્યાઓ આરાધ છે .

ઉદયગિરિ રે ઉદયગિરિ
સોનાની તારી પાઘલડી.
આટલી પૂજા જાણજે
ભાઈ-બાપને ઘેરે આણજે!

એવે સૂર્યોદયનાં અજવાળાં વચ્ચે, મસ્તક પર બે છત્ર ધરીને શરદ અને વર્ષારૂપી બે નૌકામાં પગ રાખી, સમુદ્ર પર ભાદૂલી દેવી પ્રકટ થાય છે અને કન્યાઓ સાગરનું ગાન ઉપાડે છે:

સાત સમુદ્ર વાયુ ખેલે, કયે સમ છોળ ઉછાળે !
સાગરને વીંટીને બધી કન્યાઓ બોલે છે:

દરિયા દરિયા પાય પડે
તુજ સું મારે બેનપણું:
ભાઈ બાપ ગ્યા છે વેપાર
સ્વામી ગ્યા છે. વેપારે.

ત્યાં તો જાણે આકાશવાણી થાય છે -

આજ જ પાછા આવશે!,
આજ જ પાછા આવશે !

એમ એક પછી એક દશ્ય ગવાતું આવે છે, ને છેલ્લે સ્વજનોની સફર પૂરી થતી કલ્પાઈ છે, ઘેરે જાણે કલ્લોલ થઈ રહ્યો છે વગેરે.

ધાન્યોત્પાદનનો આનંદ

એ રીતે આપણે જોયું કે વર્ષાઋતુ દેશને જળમાં ભીંજવી વિદાય લે છે, અને શરદ ચાલી આવે છે - તેના ઉત્સવ સમું આ ભાદૂલી વ્રત છે. એવું જ શસપાતા વ્રત: એમાં માનવી વિપુલ ધાન્યની વાંછના કરે છે. પણ એ વાંછના સફળ કરવા માટે પ્રમાદી બનીને કોઈ દેવતાની પાસે હાથ જોડી દો! દો!' કરવાનું નથી, પણ એ વ્રતની વિધિમાં જ સાચેસાચ મોલ ઉગાડવાનો અને પાક પકવવાનો જે આનંદ હોય છે. તે આનંદને નાચગાન અને વિધવિધ ચેષ્ટાઓ કરવાની વિધિ છે.

એક જ વાક્યમાં કહું તો આ વ્રતો ગાન માટે, ચિત્ર વાટે ને નૃત્ય-અભિનય વાટે વ્યક્ત થતી માનવકામનાઓ છે.