પૃષ્ઠ:Killol.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિરંતર ખડી હતી. એટલે ગીતો બાલકો વિષેનાં હોવા છતાં બધાં જ કંઈ બાલ-ઉપયોગનાં નથી. ખાનપાનમાં રસ પામવા માટે મ્હોંની અંદર અમીનું જે સ્થાન છે, તેવું જ કંઈક સ્થાન, આગીતોને, વાત્સલ્યનાં માધુર્ય અનુભવવામાં મળે એવી કર્તાની ધારણા છે.

ઢાળો વિષે પણ એમજ સમજવાનું છે. એ બધા બાલ-ઢાળો નથી. 'પા ! પા ! પગલી'થી માંડી 'શિવાજીનું હાલરડું' સુધી એનું કૂણું વિક્રમશીલ વૈવિધ્ય પથરાએલું છે.

કેટલાંએક ગીતોની ટુંકો લંબાયે જ ગઈ છે. લોકગીતોનું રમકડા સમ ટુંકાણ અને નાજુક કદ આણવાનું કામ વિકટ છે : ખાસ કરીને નવયુગી કાવ્યભાવો પણ ગુંથવાની જવાબદારી અદા કરવાની હોવાને કારણે. પરંતુ જ્યાં જ્યાં એવી અતિશયતા જણાય ત્યાં ત્યાં વધારાની લાગતી ટુંકો પર ચોકડી મારવાનો વાચકને હક્ક છે.

'વેણીનાં ફુલ'માં ઘણું એવું હતું કે જે 'કિલ્લોલ'માં નથી; એજ રીતે આમાં નીપજી શકેલું એવું કેટલુંક એમાં નથી. બન્નેને અન્યોન્યનાં પૂરક લેખું છું. વાચકને પણ એમજ લેખવા વિનતિ કરૂં છું.

પૂઠા પરનું ચિત્ર આપનાર તો આ વખતે પણ ભાઈશ્રી રવિશંકર રાવળ જ છે. એમાં એમણે પોતાનાં