પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
ગોપા (યશોધરા)


જાય એટલા સારૂ સિદ્ધાર્થ મોટો થયો ત્યારથી તેને ઘણા પ્રકારના ભોગવિલાસમાં ઉછેર્યો.

પણ બુદ્ધદેવ તો બચપણથીજ ભાવનામય અને વિચારશીલ હતા, એટલે એમને એ બધા bhoગવિલાસ રુચ્યા નહિ. ઘણી વખત પોતે એવા આમોદપ્રમોદમાંથી દૂર જતા રહીને એકાંત સ્થળમાં ચિંત્વન કરતા.

કપિલવસ્તુની પાસે કલિદેશ નામનું એક નાનું રાજ્ય હતું. કલિદેશના રાજા દંડપાણિને ગોપા નામની એક પરમસુંદરી, વિદ્યાવતી અને બુદ્ધિશાળી કન્યા હતી; અને સદ્‌ગુણોથી વિભૂષિત હતી. સિદ્ધાર્થનું વય ઓગણીસ વર્ષનું હતું ત્યારે ગોપા સાથે તેનો વિવાહ થયો.

વિવાહ પૂર્વ રાજાએ અનેક કુમારિકાઓને એક ઉત્સવમાં આમંત્રણ કર્યું હતું અને ત્યાં સિદ્ધાર્થને હાથે એક કિંમતી લહાણી વહેંચાવવાની વ્યવસ્થા કરી હતી. અનેક રાજકન્યાઓ એ ઉત્સવમાં ભાગ લેવા આવી અને રાજકુમારને હાથે લહાણી લઈને ચાલી ગઈ. ગોપા પણ આવી, પરંતુ તેની વારી આવી ત્યારે લહાણી ખૂટી ગઈ. સિદ્ધાર્થની અને ગોપાની ચાર આંખ થઈ. બન્ને એક બીજા પ્રત્યેથી ચક્ષુ ફેરવી શક્યાં નહિ, થોડી વાર સુધી બન્નેચિત્રની પેઠે ઉભાં રહ્યાં. થોડી વાર પછી ગોપા ચમકી, તેને શરમ આવી, આંખ નીચી કરી લઈને તેણે પૂછ્યું: “કુમાર ! મને લહાણી નહિ મળે ? હું પણ નિમંત્રણથી આવી છું હો.”

ગૌતમે કહ્યું: “મેં તમને અપમાન કરવા સારૂ બોલાવ્યાં નથી. સુવર્ણથી પૂર્ણ આ અશોક–પાત્ર તમને લહાણીમાં આપું છું અને સાથે સાથે મારી આંગળીની વીંટી પણ આપું છું.” એમ કહીને રાજકુમારે આંગળી ઉપરથી વીંટી કાઢવા માંડી.

ગોપાએ તેને રોકીને કહ્યું: “ના, આપનો અલંકાર મારે જોઈતો નથી. મારી ઈચ્છા પૂર્ણ થઈ છે.” એટલું કહી લહાણી લઈને ગોપા ધીરે ધીરે ચાલી ગઈ. ગોપાનું રૂપ નીરખીને, વાતચીતમાં તેની વિદ્યા તથા ગુણનો પરિચય પામીને કુમાર તેની તરફ આકર્ષાયો. ગોપા પણ મનમાં ને મનમાં સિદ્ધાર્થને પોતાનો આત્મા સમર્પણ કરીને પિતૃગૃહે ગઈ.

પુત્રનો અભિપ્રાય જાણી જઈને રાજા શુદ્ધોદને દંડપાણિ