પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



(વલણ)

કેમ દૂભે મુજ બાળને ? પ્રેમ ભર્યો એ બાળ,
માનું નહિ હું એ કદી સર્પ ડસે કો કાળ રે.

(ચોપાઈ)

પછી કો મુજને વદિયો વેણ, કહું ઉપાય તુજને ઓ બહેન !
પુણ્યાત્મા કો ગિરિ પર વસે,– જો ! ભગવાં ધરી ચાલ્યો પણે,
જા તું એ ઋષિજનને યાચ, ઔષધ કંઈ તુજ આળક કાજ;
એહ સુણી કાલે તુજ પાસે, આવી હું ધરી મોટી આશ.

(વૈદર્ભી વનમાં વલવલે–એ રાગ)

આશ ધરી મોટી નાથ હું આવી તારી સમીપ;
ક્રૂર અનિલે હોલવ્યો પ્રકટાવવા મોંઘો દી૫,આશ૦
દેવ સરીખું દીપતું તુજ ભાળ વિશાળ;
નિરખી હું આવીને ઊભી કંપ મા ના તુજ બાળ.આશ૦
આંસુ ઢાળીને ખસેડિયું શિશુ મુખ પટકૂળ,
લળી લળી તુજને પૂછિયું, ‘ઔષધ કિયું અનુકૂળ ?’આશ૦
ને નાથ મોટા ઓ ! તેં મને કાઢી. તરછોડી નાહિ;
મીઠી મૃદુ નજરે રહ્યો નિરખી પ્રેમે તું કંઈ.આશ૦
ધીરા કોમળ કરવડે સ્પર્શ કરીને તે વાર;
મુખ પટ પાછું ઢાંકિયું, પછી કીધો ઉચ્ચાર.આશ૦

પુત્રશોકથી વિહ્‌વળ બનેલી માતાને પરમ સાધુ, સંસારત્યાગી બુદ્ધદેવ વગર કોણ આશ્વાસન આપે ? એમણે બાળકના દેહ ઉપર મૃદુ હસ્ત ફેરવીને શાંત ચિત્તે કહ્યું:—

બહેન, ઉપાય બતાવું હું, જેથી દુઃખ તુજ રૂઝાય;
ને દુઃખ રૂઝે આ બાળનું, પણ ઔષધ તું લાવ્ય.

શોધીને લાવ્ય તું કાળી કંઈ તોલો એકજ રાઈ,
પણ જોજે બાઈ ! જે ઘર વિષે, મૃત્યુ પામ્યું કો હોય;
માત, પિતા, સુત કે સુતા, દાસી દાસ વા કોય.
તે ઘેરથી નવ લાવતી રાઈ કણ તું એક;
હેવી મળે કદી રાઈ તો,–ધન્ય તુજ કર્મરેખ.”

બુદ્ધ ભગવાને કેવો સીધો ઉપાય બતાવ્યો ? કહ્યું કે, “હે બહેન !