પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
સુજાતા



પુત્રપ્રાપ્તિની આશામાં સુજાતાએ અનેક વ્રત, જપ, પૂજાપાઠ કર્યાં.

ભક્તિભાવથી દેવ દેવિયો પ્રીતથી સદા પૂજી કેવીઓ !
લક્ષ્મી દેવીને પુણ્યમંદિરે, પ્રાર્થતી સદા પુત્ર અવતરે;
કરી પ્રદક્ષિણ કોટિવાર એ, પ્રાર્થતી મહાદેવ બાણને,
કાંઈ ધરાવતી નવેદ નવનવાં, પુત્રરતનની આશમાં હવાં.

એ સમયમાં બુદ્ધદેવ પાસેના વનમાં પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરી રહ્યા હતા. સંસારનાં અનેકવિધ દુઃખમાંથી મુક્તિ પામવાના ઉપાયો શોધી રહ્યા હતા. તેમની કીર્તિ સુજાતાને કાને પણ પહોંચી હતી. બધાં દેવદેવીઓ તરફથી નિરાશ થયેલી સુજાતાએ બાધા રાખી કે:—

“પુત્ર રત્ન જો સાંપડે ભેટ ધરૂં સપ્રેમ,
વનમાં વસિયો સાધુ જે દેવાંશી રે દેવ !
હેને ભોજન ભાવથી અર્પું હું તત્ખેવ;
દેવો જે આરોગવા તલસે, હેવું પાન,
કનક પાત્ર ભરી અર્પું હું;
જ્યાં આ તરુતળ ધરતો ધ્યાન.”

સુજાતાની શ્રદ્ધા ફળી. દશ મહિનામાં એક સુંદર પુત્ર એને પેટે જન્મ્યો. સુજાતાના હર્ષનો પાર રહ્યો નહિ. પુત્ર ત્રણ માસનો થયો એટલે બુદ્ધદેવને પગે લગાડવા, પોતાની માનતા પૂરી કરવા એમને સારૂ તૈયાર કરેલા સ્વાદિષ્ટ દૂધપાકના નૈવેદ્ય સાથે સુજાતા વનભૂમિ ભણી જવા નીકળી.

“ઉર આભાર ભરી ડગ ભરતી, બાલ હૃદયા સરસો ધરતી;
રાતી સાડીમાં શિશુને લપેટ્યો, નાનકડા ભુજ ઉર ધરી ભેટ્યો;
નિજ ઉરનું એ આનંદ રત્ન, દાબે ઉરશું કરે કરી જત્ન;
અન્ય કર કરી ઊંચો સુરેખ, શિર સ્થિર ટેકંતી ભાર એક;
પાત્ર યુગલતણો એ ભાર, માંહિ દેવ કાજ આહાર,

દાસીએ વૃક્ષની નીચે બેસી, પદ્માસન વાળી તપસ્યા કરતા દિવ્ય તેજવાળા શાંત અને નમ્ર બુદ્ધદેવને દેખાડ્યા. એટલે સુજાતાએ ત્યાં જઈને માથું નમાવી મૃદુભાવે વિનતી કરી:–

અહો !કુંજવાસી સંત ! અતિ પવિત્ર,બેલી દીનનો અનાથનો તું મિત્ર,
શ્રેયદાતા ! હું યાચું દાસી દીન, દયા દાન ધન્ય દર્શનજ નવીન.
શુભ્ર દહિં બનાવી લાવી આજ તાજું, અને દૂધ, હસ્તિ દંતશું નવાજું;