પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



રંક કેરી ભેટ આટલી સ્વીકારો, અને સફળ થાવ જન્મ આ હમારો.

આ પ્રમાણે વિનતિ કરીને સુજાતાએ કનક પાત્રમાં દૂધ અને દહીં જુદાં જુદાં પીરસ્યાં. ત્યાર પછી સ્ફટિક–પાત્રમાં સુગંધી દ્રવ્યો મૂકીને બુદ્ધદેવને તેનું મર્દન કર્યું.

બુદ્ધદેવે મૌનપૂર્વક અતિ પ્રસન્નતા સહિત એ ભોજન કર્યું. ઉપવાસ અને ઉજાગરાથી જે શ્રમ પહોંચ્યો હતો તે આ પુષ્ટિકારક ભોજન આરોગતાં વાર જતો રહ્યો. એ ભોજનથી બુદ્ધદેવનો એ પ્રસન્ન આત્મા—

દિવ્ય સત્યની ભૂમિ ભણી ઊડવા થયો સમર્થ ઘણો.

ભગવાન બુદ્ધદેવના વદન ઉપર પહેલાં કરતાં વધારે દિવ્યતા અને ગૌરતા નીરખીને સુજાતાની તેમના પ્રત્યે ભક્તિ વધી અને તે હર્ષપૂર્વક પૂછવા લાગી:—

“સાચે શું છો આપ દેવ અવનિમાં ઊતર્યા ?
મુજ આનંદ અમાપ પ્રસન્ન જો મુજ ભેટથી.”

બુદ્ધદેવે પૂછ્યું: “દેવિ ! હું તારા આ ભોજનથી ઘણો પ્રસન્ન થયો છું. એનાથી અનેક દિવસનો મારો થાક ઊતરી ગયો છે. ધ્યાન ધરવાને મારામાં નવી સ્ફૂર્તિ આવી છે. આજે મારામાં કાંઈ નવીનજ જીવન આવ્યું હોય એમ લાગે છે. તું એવું સ્વાદિષ્ટ ભોજન ક્યાંથી લાવી ?”

સુજાતાએ ઉલ્લાસપૂર્વક ઉત્તર આપ્યો:—

(કટાવ)

“નાથ સુણોજી, ગોયુથો મુજ પતિના ઘરનાં, તેમાં થકી સો ગાયો શેાધી, નવપ્રસૂતા, દૂધ એનાં પાઈપોષી; પચાસ બીજી, સુંદર ધેનું, દૂધ એહનું, પચીસ બીજી ગૌને પાયું; પચીસ કેરૂં બીજી બારને પ્રેમે પાયું; એહ બારનું યૂથ, મહિંની ઉત્તમ ખટ ધેનુને અર્પ્યું; એ ધેનુનું દૂધ ઉકાળ્યું રૂપા કેરા લોટા મધ્યે; અને પછી મેં શુદ્ધ બીજને વીણી વીણી, મોતી કેરા દાણ સરખાં તાંદુલ લઈને, નવ ખેડેલી ભૂમિ મધ્યે, પ્રથમ થકી ઊગાડી લણેલા ચોખા ઓરી, પાયસ રાંધી અત્ર ધરાવ્યો; ધન્ય ધન્ય મુજ જીવન, પ્રભુને આજે ભાવ્યો.”

ત્યાર પછી પોતે વંધ્યાવસ્થામાં કેવું ચિંતામય જીવન ગાળતી