પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
૪૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



“પૂજ્ય ઓ ભગવાન !
ઉર મારૂં આ નાનકડું, તે ગ્રહે શું ભાર મહાન !
વિશાળ ખેતર ભીંજવે નવ વર્ષા બિંદુ થોડાં,
તેહ બિંદુ ભરી દેતાં કુમુદ પટનાં મોઢાં;
મુજનાથ કેરી કૃપામાં,ને આ શિશુના સ્મિતમાંહિ;
જીવન રવિનું તેજ મુજને પૂરતું લાગે આંહિ.
ઘરસંસાર તણા વ્યવહારે આનંદમાં સુખ ગાળું,
સૂર્ય ઉગમતાં વ્હેલી ઊઠી દેવ સ્તવન ઉચ્ચારૂં.
ભિક્ષાદાન દઉં, ને તુલસી ક્યારો સીચું જળથી;
નિત્યકર્મ દાસીજન મધ્યે સોંપું પછી હું કળથી.
મધ્યાહને મુજ નાથ પોઢતા શિર ધરી મુજ ઉચ્છંગે;
વાયુ ઢાળું વીંજણાએ ગીતો ગાઈ ઉમંગે.
શાંત સંધ્યાકાળ થાતાં ભોજન પીરસું પ્રીતે,
સમીપ ઊભી જમતાં નિરખું નાથને એ રીતે.
દેવ દર્શન જઈ કરૂં, સખીયો શું ગોષ્ઠી ભાવે,
ત્યાં તારકગણના દીપ રૂપરી પ્રગટે નિદ્રા લાવે.
આમ નિરંતર સુખસરિતામાં કેમ ન જાઉં તણાતી;
ને મુજ નાથને સ્વર્ગ અપાવે પુત્ર ધર્યો એ છાતી.
શાસ્ત્ર વદે છે પથિક કાજ જે છાયા વૃક્ષો રોપે,
વાપી કૂપ ખણાવે તૃષિત કાજ તો દૈવ ન કોપે.
પુત્ર રત્ન પામે જે નર તે મરણ પછી શુભ પામે,
શાસ્ત્ર વેદ તે હું શ્રદ્ધાથી માનું છું નમ્ર ભાવે.
વૃદ્ધ મોટા વદે તે થકી વધુ થાઉં નવ શાણી;
દેવો સંગે વાર્તા કરતા વેદ મંત્રના જ્ઞાની.
પુણ્ય અને મોક્ષ તણા પંથો જેને પ્રત્યક્ષ વાત,
હેવા વૃદ્ધો આગળ હું તે નાથ ! કહો કોણ માત્ર ?”

પતિવ્રતા સુજાતાએ સરળતાથી પોતાની દિનચર્ચા, પોતાની ધર્મશ્રદ્ધા જણાવી ધર્મનું ખરૂં રહસ્ય પોતે શું સમજી છે તે જણાવ્યું:

“નાથ ! જાણું વળી એક સત્ય–ફળે શુભ થકી શુભ નિત્ય,
અને ભૂંડાનું ફળ છે ભૂંડું, એહ નીતિ બીજ છે રૂડું,
સર્વ જનને એ ન્યાય છાજે, સર્વ કાળે સર્વ સ્થળ સાચે;
મીઠાં મૂળનાં ફળ છે મીઠાં, વિષ મૂળનાં વિષ ફળ દીઠાં.