પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
૪૯
સુજાતા



દ્વેષ ભાવથકી દ્વેષ પ્રગટે, સ્નેહભાવે મળે મિત્ર જગતે;
ધૈર્ય સહન કર્યું શાંતિ ફળશે, આમ આ જીવનમાં મળશે;
તો શું મળતાં નિર્મિત કાળે અહીં જેવું ન શુભ ફળ ત્યારે ?
અરે ત્હારે અધિક ફળ રૂડું મળે, માનું એ સત્યજ ઊંડું;
એક કણ તાંદુલનો વાવ્યે, શત કણ પર ઊંબી આવે.”

શુદ્ધ ચિત્તથી બુદ્ધદેવ આગળ ધર્મનાં બીજરૂપ આ સત્ય સનાતન તત્ત્વો જણાવીને સુજાતાએ આગળ કહેવા માંડ્યું:—

(ગરબી)

“નાથ ! તદપિ હું જાણું જીવનમાં ભર્યા,
હૃદય ચીરતા વિધ વિધ દુઃખ પ્રસંગ જો;
સહન કરતા ધીરજ તૂટી ત્યાં પડે,
કોમળ હઈડાં સહજ પામતાં ભંગ જો. નાથ૦
બાલુડો મુજ પહેલાં જ ચાલ્યો જશે,
હઈડું મારૂં સદ્ય જશે ફાટી અરે !
પ્રાણ તજી મુજ બાળક ઉરશું ધારીને,
સ્વર્ગે વાટડી પતિની જોઈશ હું ખરે. નાથ૦
પતિની પૂર્વે સ્વર્ગે વાસ સતી કરે,
કેશે કેશે ગણવા વર્ષ કરોડ જો;
દેવલોકમાં વાસ પતિનો એટલો,
વેદ વદે ને સ્મૃતિએ વચન અમોલ જો. નાથ૦
તો નવ ભીતિ ઉર ધારૂં હું જો જરી,
જીવન સુખમાં સરકાવું રસભેર જો;
ને દુઃખીજન દીન દુષ્ટ કે પાપીનાં,
જીવન નવ અવગણતી હું કો પેર જો. નાથ૦
હું તો પુણ્ય જણાતો પંથજ આદરૂં,
દીન ભાવથી સેવું ધર્મ સદાય જો;
શ્રદ્ધા રાખું અટળ હૃદેમાં આટલી,
અવશ્ય ભાવિ સુખકર અંતે થાય જો. નાથ૦

બુદ્ધદેવ સરળ હૃદય સન્નારી સુજાતાના ઊંડા જ્ઞાનથી ઘણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા:—

“બોધ દિયે તું અમે બોધકને,
જ્ઞાની જનથી અદકું સરલ જ્ઞાન તુજ ખરે સમર્થ બને.