પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



જ્ઞાન વિના તૃપ્ત થજે, આમ પુણ્યને સુધર્મ પથ ભણી,
કોમળ કુસુમ !તું વધજે શાંત છાયામાં સદાય સુખ માની.
મધ્યાહ્‌ન સમય કેરું સત્ય સૂર્યનું જ તેજ ઝળહળતું,
કોમળ અંકુર કાજે તવ ઘડિયું એ ભલે રહે બળતું.
મુજ ચરણો પૂજતી તું તુજ ચરણો હું પૂજતો આજે,
શુદ્ધ હૃદય તું સરતા, અજાણતાં જ્ઞાન કૂપ તું સાચે.
પ્રેમ તણાજ પ્રભાવે સરળ કપોતી પળેજ નિજ માળે,
તેમ તું ભક્તિબળથી લક્ષ્ય સ્થાને જઈશ ઓ બાલે !
સુખ શાંતિમાં જીવન વીતો તુજ નિર્મળું સદા ક્ષેમે,
તુજ સિદ્ધિ સમી સિદ્ધિ મુજને મળજો– હું ઈચ્છું એ પ્રેમે.
જેને ઇશ્વર ધાર્યા તેં તે તુજનેજ વીનવે આજે,
આશિષ દે મુજને તું ‘સિદ્ધિ મળો’ સદ્ય વિશ્વ સુખ કાજે.”

આ પ્રમાણે ધર્મનો વિકાસ થવા અને સિદ્ધિ મળવાનો આશીર્વાદ બુદ્ધ ભગવાને પવિત્ર મનની સુજાતા પાસે માગ્યો. સુજાતાએ તથાસ્તુ કહી આશીર્વાદ આપ્યો.

બુદ્ધદેવ પણ બાળકને આશિષ આપી તથા સુજાતાને ભક્તિપૂર્વક પ્રણામ કરી ત્યાંથી વિદાય થયા.

એક સમયે દુનિયાના મોટા ભાગમાં જ્ઞાનરશ્મિ ફેલાવનાર ભગવાન બુદ્ધદેવના મન ઉપર પણ આવી ઊંડી અસર કરનાર દેવી સુજાતાને ધન્ય છે.[૧]


  1. * આ આખું ચરિત્ર મુખ્યત્વે સાક્ષર શ્રી. નરસિંહરાવ ભોળાનાથના ‘ગુજરાતી’ના ૧૯૭૮ ના દિવાળી અંકમાં પ્રગટ થયેલા લેખમાંથી તેમની રજાથી ઉપકારપૂર્વક લેવામાં આવ્યું છે.