આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિદ્યાર્થી જગતમાં એને સ્થાન મળ્યું છે એ એક જ વાતથી
દોરાઈને આ નવી આવૃત્તિ ધરવાની હિંમત કરી છે. શાળાનાં કિશોર
ભાઈબહેનોને દૃષ્ટિ સામે રાખીને જ નવી આવૃત્તિમાં આખું આલેખન
સંસ્કારેલું છે, વાક્યો સરખાં કર્યા છે. પ્રકાશકોએ પણ વિદ્યાર્થી
ભાઈબહેનોની સગવડ ધ્યાનમાં લઈને જ પુસ્તકની કિંમતમાં બે આનાનો
મોટો ધટાડો કર્યો છે.
સૌરાષ્ટ્ર સાહિત્યમંદિર તા ૨૦ : ૫ : ૩૧ |
ઝવેરચંદ મેઘાણી |