આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૭
નગર-લક્ષ્મી:
બધાની પાસે માથું નમાવીને સુપ્રિયા બેલી : 'મારી
પાસે બીજું કાંઈ યે નથી; રહ્યું છે ફક્ત આ એક ભિક્ષાપાત્ર.
હું તો પામર નારી છું, સહુથી ગરીબ છું. પરંતુ હે પ્રિયજનો!
તમારી દયાના બળે જ ગુરુદેવની આજ્ઞા સફળ થશે, મારી
શક્તિથી નહિ, મારો ભંડાર તો તમારા સહુના ઘરેઘરમાં ભર્યો
છે. તમારી સહુની ઈચ્છા સાચી હશે તો મારું આ પામર
ભિક્ષાપાત્ર પણ એક અક્ષયપાત્ર બની જશે. હું તમારે દ્વારે
દ્વારે ભટકીશ ને તમે જે દેશો તે ભૂખ્યાંને ખવરાવીશ. માતા
વસુંધરા જીવતી છે ત્યાં સુધી શી ખેાટ છે ?'
ગુરૂદેવે આશીર્વાદ દીધા. લેકેએ પોતાના ભંડાર એ ભિખ્ખુનીના ભિક્ષાપાત્રમાં ઠાલવ્યા અને આખી નગરી ભૂખ મરામાંથી ઊગરી ગઈ.