પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૫

તુચ્છ ભેટ


રાજાજી ગુરુની પાસે આવ્યા. એના મનમાં તો શરમ હતી : 'કંકણ મળ્યું નહિ ! ગુરુજી મને શું કહેશે ?'

હાથ જોડીને રઘુનાથે કહ્યું : 'મહારાજ ! કંકણ કયે ઠેકાણે પડયું એ બતાવો તો હમણાં જ હું ગોતી કાઢું.'

'જોજે હો !' એમ કુહીને ગુરુજીએ યમુનાની અંદર બીજા કંકણનો પણ ઘા કર્યો ને કહ્યું : 'એ જગ્યાએ !'

શરમીંદો રાજા દિગ્મૂઢ બનીને ગુરુની સામે જોઈ રહ્યો. ગુરુજીનું મોં તો મલકતું જ રહ્યું.