પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
કચ્છનો કાર્તિકેય



ષષ્ટ પરિચ્છેદ
અહમ્મદાબાદમાં નિવાસ

અલૈયાજીએ દિલ્લી દરવાજા પાસેના એક ઐકાંતિક ભાગમાં એક ઉત્તમ આગાર ખેંગારજીના નિવાસમાટે ભાડે રાખીને પોતાના અનુચરદ્વારા સર્વ આવશ્યકીય વસ્તુઓ ત્યાં મોકલીને યોગ્ય વ્યવસ્થા કરાવી રાખી હતી અને એક રસોઈઆને તથા બે અનુચરોને તેમ જ બે ત્રણ સુંદર દાસીઓને પણ તેણે નોકરીમાં રાખી લીધાં હતાં. જે વેળાયે ખેંગારજી તથા સાયબજી તેમના નિવાસમાટે રખાયેલા એ આગારમાં આવી પહોંચ્યા, તે વેળાયે જાણે તેમનો ત્યાં કેટલાંક વર્ષોથી નિવાસ હોયની ! એવા પ્રકારની સર્વ યોગ્ય વ્યવસ્થા તેમના જોવામાં આવી. એ આગારમાં નીચેના ભાગમાં ચાર વિશાળ ખંડો હતા. એમાંના એક ખંડમાં બેસવા ઊઠવાની તથા જો કોઈ અતિથિ અથવા સદ્‌ગૃરહસ્થ મળવામાટે આવે તો તેને બેસાડીને તેનો યોગ્ય સત્કાર કરી શકાય, એવી ગોઠવણ કરવામાં આવી હતી; બીજા ખંડમાં શયનમંદિરની રચના હતી, તૃતીય ખંડમાં ભોજનમાટે બેસવાનાં સાધનો રખાયાં હતાં અને ચોથા ખંડમાં કોઠાર હતો. એ ઉપરાંત ઉપરના ભાગમાં મોટા બે ઓરડા હતા અને તે જો ખેંગારજીનાં પત્ની ત્યાં આવે, તો અંતઃપુર તરીકેના ઉપયોગમાટે રાખવામાં આવ્યો હતો. એ આગારના વિશાળ આંગણામાં એક તરફ એક મોટું રસોડું હતું, બીજી તરફ દાસદાસીઓના નિવાસ માટેની ઓરડીઓ હતી અને ત્રીજી તરફ અશ્વ ઇત્યાદિને બાંધવામાટેનો તબેલો પણ હતો. એ આગાર અમદાવાદના એક ધનાઢ્ય વૈશ્યે અમદાવાદમાં આવતા કેટલાક માંડલિક રાજાઓ તથા જાગીરદારોના ઉતારા માટે બંધાવ્યો હતો અને તેથી જ તેમાં આવા પ્રકારની સર્વ સગવડો કરેલી હતી. આંગણાના પાછળના ભાગમાં એક કૂવો પણ હતો એટલે પાણીની પણ તાણ પડે તેમ નહોતું. ખેંગારજી તથા સાયબાજી આ સર્વ વ્યવસ્થાને જોઇને અત્યંત પ્રસન્ન થયા અને પરમાત્માના નામેાચ્ચાર સહિત તેમણે પોતાના એ નવીન નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો. તે દિવસ અને તે રાત્રિનો સમય તો તેમણે ત્યાં જ વીતાડ્યો અને બીજે દિવસે મધ્યાહ્ન ભોજન તથા વામકુક્ષી કર્યા પછી તેઓ નદી પાર છચ્છરને મળવામાટે પગે ચાલતા જ ગયા.

ત્રીજે દિવસે ખેંગારજીએ શુક્રવારની ગુજરીમાંથી બે સારા અશ્વો ખરીદી લીધા અને ત્યાર પછી જ્યારે પણ ખૈંગારજી, સાયબજી તથા રણમલ્લનો ભત્રીજો નદીપાર જતા હતા, ત્યારે અશ્વારુઢ થઈને જ