જ૦-જાપાનીસ યુદ્ધનેમોને મદદ કરવાનો એ રસ્તો હતો.
સ૦-જ્યારે સુભાષ બોઝને તેડાવવામાં આવ્યા ત્યારે જાપાનીસ સરકાર એમ જાણતી હતી કે આઝાદ હિંદની કામચલાઉ સરકારના અને આ૦ હિં૦ ફો૦ ના વડા એમને બનાવવાના છે ?
જ૦-હું સમજું છું ત્યાં સુધી સુભાષચંદ્ર બોઝ બેઉના વડા થના૨ા હતા.
સ ૦-એ જાપાનમાં ક્યારે આવેલા ?
જ૦–૧૯૪૩ના એપ્રિલના અરસામાં.
સ૦–કામચાઉ સરકારની સ્થાપના થવાની છે એ તમે ક્યારે સાંભળ્યું ?
જ૦-૧૯૪૩ના એપ્રિલના અરસામાં, જાપાનીસ સરકારને ખબર હતી કે એવી સરકારની સ્થાપના થવાની છે; અને સુભાષચંદ્ર બોઝ તેના વડા થવાના છે, અને જાપાનીએ એ સરકારનો સ્વીકાર કરશે તેમજ એને મદદ કરશે,
સ૦–આઝાદ હિંદની સરકારનો સ્વીકાર કરવો એ જાપાનીસ યુદ્ધવ્યૂહનો એક ભાગ હતો ?
જ૦–એથી જાપાનની યુદ્ધનેમોને મદદ મળે એ એને માટેનું એક જ કારણ હતું.
સ૦–આઝાદ હિંદ સરકારનો સ્વીકાર કરવાનું જાપાને જ તેના સાથી રાજ્યોને કહેલું ?
જ૦-સુભાઝ બોઝે જાપાનીસ સરકાર દ્વારા તેના તમામ સાથી રાજ્યોને કામચલાઉ સરકાર(નો સ્વીકાર) કરવાનું કહેલું.
સ૦–પોતાના યુદ્ધવ્યૂહના એક હિસ્સા તરીકે જાપાનીસ સરકારે પોતાના સાથીરાજ્યોને કામચલાઉ સરકારનો સ્વીકાર કરવાનું કહેલું ?
જ૦–એમણે એમ કર્યું કારણકે એ જાપાનના લાભમાં હતું. જાપાનને લાગેવળગે છે ત્યાં સુધી આઝાદ હિંદ ફોજની આઝાદીની