પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૫ ]



જ૦-ના.

સ૦–પરદેશ પ્રધાને વળતી મુલાકાત લીધેલી એ તમે ક્યાંથી જાણ્યું ?

જ૦–શ્રી હાચિયાના અહેવાલમાંથી.

સ૦–હું તમને કહું છું કે શ્રી હાચિયા પાસે એળખાણ-પત્રો નહોતા તેથી એમની સાથે કાંઈપણ વ્યવહાર રાખવાનો શ્રી સુભાષચંદ્ર બોઝે ઈન્કાર કરેલો ? એ સાચું છે ?

જ૦-હા, શ્રી હાચિયાના અહેવાલ પ્રમાણે એ સાચું છે.

સ૦-અને તમે એમ કહો છો કે શ્રી સુભાષચંદ્ર બોઝના કહેવાથી જાપાનીસ સરકારે એળખાણ–પત્રો મોકલવાનો નિર્ણય કરેલો ?

જ૦-હા.

'સ૦–એ વિનંતિ લેખિત હતી ?

જ૦-ના.

સ૦–એવી મતલબનો કોઈ અહેવાલ શ્રી હાચિયા તરફથી તમને મળ્યો હતો ?

જ૦—હા.

સ૦–હકીકતમાં તો એાળખાણપત્રો એમને રંગુન કદી પહોંચ્યા જ નહોતા ને ?

જ૦-ના.

સ૦-ટોકીઓથી એળખાણ-પત્ર રવાના થયા તેની તારીખ તમે આપી શકશો ?

જ૦–૧૯૪૫ના મેની અધવચમાં

'સ૦–બ્રિટિશ લશ્કરે તે(મે)ની ૩જીએ રંગુનમાં પ્રવેશ કર્યો હતો તે તમે જાણો છો ?

જ૦-હા.