પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૪૩ ]



સ૦–કયા કારણસર એમણે તમને એમ કહેલું ?કોઇના પ્રતિનિધિ તરીકે તમારે જવાનું હતું ?

જ૦–એમણે મને કહ્યું કે ત્યાં એક પરિષદ ભરવાની છે અને મારે ત્યાં જઈને હિંદુસ્તાનીમાં જે ભાષણ થાય તેની નોંધ કરવી. કે૦ મેહનસીંધના ભાષણની મેં નોંધ કરેલી. તે પછી હું સિંગાપુર પાછો ફર્યો અને ૧૯૪૨ના સપ્ટેંબરમાં રંગુન ગયો... કર્નલ જિલ નીચે એક ખાસ ટૂકડી મોકલવામાં આવેલી અને હું પણ એમાં હતો.

સ૦–આ સમયે તમે આ૦ હિં૦ ફો૦માં રીતસર જોડાયેલા હતા ?

જ૦– હું એમાં જોડાયો હતો ખરો પણ જાપાનીસ સરકારે અમારી આઝાદ હિંદ ફોજને અને કામચલાઉ સરકારને સ્વીકારેલ નહિ ત્યાં સુધી લડવા માટે હું તૈયાર નહોતો.

સ૦– ૧૯૪૨ના સપ્ટેંબરની આખરમાં તમને આરાકાન મોરચે દુશ્મન દળેામાં પેસી જવાનું કામ સોંપાયું હતું ?

જ૦– ના. મને આરાકાન જઇને માહિતી મેળવવાનું અને પાછા ફરીને મારો અહેવાલ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ કામ મેં આ૦ હિં૦ ફો૦ના એક સભ્ય તરીકે કર્યું હતું. ૧૯૪૨ના ડિસેંબરમાં હું રંગુન પાછો ફર્યો. ડિસેંબરમાં કયારેક મેં આ૦ હિં૦ ફો૦ માંની કટોકટી વિશે સાંભળ્યું. એ વખતે નાસી છૂટીને હિંદ પહોંચી જવાનો પ્રયાસ મેં કર્યો નહોતો.

૧૯૪૩મા મિંગાલાડોમમાં ક૦ જિલની ટુકડી જાપાનીઓએ કેદ કરી હતી હું પણ એમાંનો એક હતો. એમને શા માટે કેદ કરવામાં આવ્યા હતાં તે હું જાણતો નથી.

સ૦- ક૦ જિલની ટૂકડી શા માટે ઊભી કરવામાં આવેલી?