પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૪૬ ]


સ૦- આ જમીન તેના માલિકે કામચલાઉ સરકારને આપેલી?

જ૦– મને એટલી ખબર છે કે જાપાનીસ સરકાર અને અમારી સરકાર વચ્ચે એક કરાર થયેલો કે ભાગી ગયેલા હિંદીઓની માલિકીની તમામ માલમિલકતનો કબજો અમારી સરકાર લઈ લેશે.

સ૦- આ બારમામાં હતું ?

જ૦— હા.

સ૦– અને ૧૯૪૪ના જૂનમાં જાપાનીઓ આખા બરમાનો લશ્કરી કબજો ધરાવતા હતા ?

જ૦— હા.

સ૦– ઝિયાવાડીની જાગીર સહિત ?

જ૦– મેં એક વાર કહ્યું કે એ અમને આપવામાં આવી હતી.

સ૦- કોના તરફથી ? જાપાનીઓ તરફથી ?

જ૦– મે એકવાર કહ્યું છે કે અમારી સરકાર અને જાપાનીસ સરકાર વચ્ચે આખા પૂર્વ એશિયા અંગેનો એક કરાર થયેલો હતો, અને એમાં બરમાનો સમાવેશ પણ થતો હતો. એ કરારની રૂએ અમારી સરકારે આ જાગીરોનો કબજે લીધો હતો.

સ૦– સાચી વાત એ છે કે ઝિયાવાડીમાં આ૦હિં૦ફો૦એ સ્થાપેલી એક તાલીમ-છાવણી ત્યાં હતી.

જ૦– હા, આ૦હિં૦ફેા૦ માટે લોકોને તાલીમ આપવા માટેની એક તાલીમ-છાવણી ત્યાં હતી.

શ્રી ભુલાભાઇની ફેરતપાસમાંઃ-

સ૦- જાપાનીસ યુદ્ધનેમો અંગે કર્નલ સાઈટોએ તમને આપેલી સમજણની વાત તમે કરતા હતા. હિંદુસ્તાન સંબંધે કર્નલ સાઈટેાએ તમને કહેલી યુદ્ધનેમો શી હતી ?

જ૦– કે હિંદુસ્તાન સમેત આખા પૂર્વ એશિયાની આઝાદી માટે જાપાન લડી રહ્યું છે.