પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પઢાવાયેલા સાક્ષીઓ ?

વીસમા સાક્ષી તોપચી બહાલસીંધ ૧૯૪૪ના ફેબ્રુઆરીમાં આ૦ હિં૦ ફો૦મા જોડાયા ત્યાં સુધી મલાયાની જુદી જુદી નજરકેદ છાવણીમાં હતા. બરમામાં પોપા ટેકરીને મોરચે ગયેલી આ૦ હિં૦ ફો૦ની ટુકડીએામાં એ પણ શામિલ હતા. ઊલટ તપાસમાં ભુલાભાઈએ એમને પૂછ્યું : આ૦ હિં૦ ફો૦ હિંંદની સ્વાધીનતા ખાતર લડવા માટે ઊભી કરવામાં આવી હતી એ તમે જાણતા હતા ?

સાક્ષી : ના.

ભુ૦ : તમે આ૦ હિં૦ ફો૦ માં જોડાયા હતા, ખરું કે નહિ ?

સા૦ : હા.

ભુ૦ : એમાં કોણ કોણ હતું ?

સા૦ : હિંદીઓ અને મલાયાવાસીઓ.

ભુ૦ : એમનું કામ લડવાનું હતું ?

સા૦ : હા.

ભુ૦ : શેને ખાતર લડવાનું ?

સા૦ : મારામાં મર્યાદિત બુદ્ધિશક્તિ છે અને મને સવાલ સમજાતો નથી.

ભુ૦ : ઠીક, ત્યારે તમને હું એટલેથી જવા દઉ છું

એકવીસમા સાક્ષી હતા જાટ રેજિમેન્ટના સિપાહી સૈયદુલ્લાખાન. ૧૯૪૦ની ૧૨મી ડીસેંબરે હિંદી લશ્કરમાં એ જોડાયેલા. અને ૧૯૪રની બીજી જાન્યુઆરીએ મલાયા પહોંચેલા સિંગાપુરના પતન પછી ૧૯૪૩ના સપ્ટેંબર કે ઑકટોબરમાં એ આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. ૧૯૪૫ના માર્ચ મહિનામાં એમની ટુકડી બરમામાં પોપા ટેકરીના વિસ્તારમાં ચોકિયાતી-કામગરી બજાવતી હતી. અમેરિકનો