પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
લીલુડી ધરતી-૨
 

બાવાના ઘરમાં બેઠી !’

‘ભામણ વટલે એટલે તરક જ થાય.’

પણ હવે ઝમકુના આ પગલા વિષે બહુ ટીકાટિપ્પણ કરવામાં લોકોને રસ નહોતો રહ્યો, હવે તો ૨સનો વિષય હતો :

‘શિવોભારથી છે કોણ ?’

‘ઝમકુને એની ઓળખાણ ક્યાંથી ?’

અને તુરત સંશોધકોએ પોતપોતાનાં સ્મૃતિપડ ઉખેળવા માંડ્યાં. અનુમાનો થવા લાગ્યાં. તૂટક તૂટક નિર્દેશોના તાળા બેસાડવા માંડ્યા.

‘ગિધાની હાટે રતૂમડું ઘોડું લઈને એક અતીત આવતો’તો ખરો—’

‘ને કો’ક કો'ક ફેરે તો રોટલો ખાવા ય રોકાતો—’

‘કિયે છ કે ગિધાને ઈ અતીતમાં બવ આસ્થા હતી. તી બાવાને ઝમકુ ચૂરમું રાંધીને જમાડતી—’

‘ઈ ચૂરમું જમનારો શિવોભારથી જ હશે તો તો ગિધાને હાથનાં કર્યાં જ હૈયે વાગવા જેવું થ્યું ગણાય.’

‘ભગવાન જાણે, ભાઈ ! ગિધાની ગત્ય તો એકલો ગિધિયો જ જાણે. બાકી પોતે ય કોઈ દી પેટ ભરીને ખાતો નહિ, ઈ માણસ આવા બાવાસાધુને ચૂરમાં જમાડે ઈ કાંઈ સમજણમાં ઊતરે એવું નથી.’

‘ચૂરમાં તો ગિધો મર્યા કેડ્યે ય ઝમકુએ કાંઈ ઓછાં નથી રાંધ્યાં. રોજ ઊઠીને આખી શેરીમાં ઘીની દાઝ ફોરી ઊઠતી.’

આખરે, ખુદ, દામજીએ પણ અનુમાન કર્યું કે ગિધાના મૃત્યુ પછી એક માણસ નાતીલાને અને દૂરના સગપણને દાવે વારંવાર ઘેર આવતો અને ઝમકુ જેને હોંશે હોંશે જમાડતી, એ આ વેશધારી શિવોભારથી જ હોવો જોઈએ.

ઝમકુના જીવનનાટક ઉપર આ રીતે છેલ્લો પરદો પડી રહ્યો