પૃષ્ઠ:Mabapone.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નજીવનની ધન્યતા કયારે સમજાશે ?
 


પણ બાળકો અકસ્માત નથી. જેટલાં લગ્ન અકસ્માત એટલાં જ બાળકો અકસ્માત કહેવાય. અજાણપણે પણ બાળકો કુદરતની સાહજિક પ્રેમપ્રેરણાની અમૂલ્ય બક્ષિસ છે. દુનિયાની તમામ સમજુ પ્રજાએ અને માબાપોએ એ ખુદાઈ બક્ષિસને વહાલથી ખોળે ધરી છે, છતાં આજના યુવાનો તેનાથી અકળાય છે. કેળવણીથી અને સામાજિક તથા ધાર્મિક વિચિત્ર વાતાવરણથી તેઓ બાળકોને ભાર રૂપ સમજવા લાગ્યા છે; અને પરિણામે તેઓ બાળકો સાથે અધોગતિને પામતા જાય છે.

બાળકો એ જીવનસુખની પ્રફુલ્લ તેમ જ પ્રસન્ન ઊઘડતી એવી કળીઓ છે. માબાપનાં હૃદયનાં એ પવિત્ર અને નિર્મળ પ્રતિબિંબો છે. પણ જ્યાં અને ત્યાંથી ખોટા અને સાચા આદર્શોનો મોટો ખીચડો ખાનાર માબાપો પોતાનાં જ હૃદયોને પોતે પિછાની શકતાં નથી. પોતાના જ જીવનની સંભાળ લેવામાં તેઓ દુર્લક્ષ રાખે છે. પોતે જ પોતાને ધિક્કારે છે. પોતે બાળકોને નિંદે છે, વઢે છે, લડે છે, ‘હાય, હવે તેમાંથી કેમ છૂટીએ ?’ તેવો પણ કોઈ વાર ઉદ્‌ગાર કાઢે છે ! કાકા, દાદા કે બા બાપાને સોંપીને રખડવા, ભમવા, આનંદવિહાર કરવા, ભણવા, નાચવા, કૂદવા નીકળવાની હોંશ કરે છે અને ફાંફા મારે છે. પણ બાળકોએ આવી ઘરમાં કુમકુમ પગલાં માંડી લક્ષ્મી આણી છે; કાલાઘેલા બોલ આણીને જીવનશાસ્ત્ર તેમ જ શિક્ષણશાસ્ત્ર અને પ્રેમજીવનની ગવાહી આણી છે. એ બધું જોવા અને જાણવાને બદલે યુવાન અને યુવતી નવલકથાઓમાં અને નાટકો અને સિનેમાઓમાં રસ લેવા દોડે છે; સભાઓ સંભાષણોમાં ભાગે છે; મેળાવડા અને ખાણીપીણીમાં દોડે છે; અને વારે વારે તેમને બાળકો આડાં આવે છે.

કમનસીબ માબાપોનાં કમનસીબ બાળકો !

છે, બેશક માબાપોને માટે જીવન છે; સુંદર અને પ્રેમમય