પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





પ્રાસ્તાવિક

મહાદેવભાઈના જીવનના ૨પ–રપ વર્ષના બે ભાગ સ્વાભાવિક રીતે જ પડે છે; એક ૧૮૯૨ થી ૧૯૧૭ નો પૂર્વભાગ અને બીજો ૧૯૧૭ થી ૧૯૪૨ ને ઉત્તરભાગ. અહીં મેં પૂર્વભાગનું જ ચરિત્ર આપ્યું છે. જો કે મહાદેવભાઈના પિતાશ્રીના અવસાન સુધીની વિગતો આપવા જતાં ઉત્તરભાગની આરંભની કેટલીક વિગતો આવી ગઈ છે.

મહાદેવભાઇના કાકાના દીકરા શ્રી છોટુભાઈ પાસેથી ભાઈ ચંદ્રશંકરે મહાદેવભાઈના પૂર્વજીવનની કેટલીક નોંધ કરી લીધેલી, તેના તથા શ્રી વૈકુંઠભાઈએ પોતાનાં સંસ્મરણો લખી મોકલ્યાં છે તેનો આ લખવામાં મેં છૂટથી ઉપયોગ કર્યો છે. આ ત્રણે મિત્રોનું ઋણ સ્વીકાર કરવાની આ તક લઉં છું.

તા. ૫-૬-’પ૦
નરહરિ પરીખ