પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૩
અમદાવાદમાં વકીલાત

૧૯૧૩ની આખરમાં એલએલ. બી. પાસ થયા. એ વર્ષમાં કોઈ જ ફર્સ્ટ ક્લાસમાં આવ્યું ન હતું. જે ‘ઇક્વિટી’ના પેપરમાંથી મહાદેવ આગલે વર્ષે ઊઠી ગયા હતા તેમાં આ વર્ષે એ પહેલે નંબરે આવ્યા. પદવીદાન સમારંભ (કૉન્વોકેશન) થઈ ગયા પછી શું કરવું એનો વિચાર કરતા હતા એટલામાં પિતાશ્રીની બદલી અમદાવાદ વીમેન્સ ટ્રેનિંગ કૉલેજમાં હેડમાસ્તર તરીકે થઈ. એટલે અમદાવાદમાં વકીલાત કરે તો ઘરખર્ચનો સવાલ રહેતો ન હતો. હું પણ તેમને અમદાવાદ ખેંચતો હતો. એટલે છેવટે ૧૯૧૪ના જૂનમાં નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદ આવ્યા અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની સનદ લીધી. બધું મળીને સવા કે દોઢ વર્ષ અમદાવાદ રહ્યા હશે. વકીલ તરીકે એમના હાથમાં એક જ કેસ આવેલો. મહીકાંઠા એજન્સી નીચેના કોઈ દરબારની મુંબઈના ગવર્નરને અરજી કરવાની હતી. રામનારાયણ પાઠક તે વખતે સાદરામાં વકીલાત કરતા, તેમની મારફત આ અરજી લખી આપવાનું કામ તેમને મળેલું. તેની ફીના રૂા. ૧રપ તેમને મળેલા.

પંડ્યાજીને અરજી ઘડી આપી

આ ઉપરાંત શ્રી મોહનલાલ પંડ્યાને મુંબઈના ગવર્નરને એક અરજી લખી આપવાનું કામ તેમણે કરેલું.

૫૮