પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કસોટીમાંથી અમરામાંથી કોઈ પાસ થાય તેમ નહોતું તે અમે જાણતા હતા એટલે અમે કાંઈક મૂંઝવણમાં હતા. તે જ દિવસે મહાદેવ આવી પહોંચ્યા એટલે મેં એમને જ અનુવાદનું કામ સોંપી દીધું. સાંજે ચાર વાગ્યે એ લઈને અમે બાપુજી પાસે પહોંચ્યા. આ અનુવાદ બાપુજી સુધારતા હતા તે વખતે મહાદેવે બાપુજી સાથે તે વિષે ઠીક ઠીક ચર્ચા કરી. મહાદેવના આ અનુવાદ અને સુધારવા દરમ્યાન તેમની ચર્ચાએ બાપુજીના હૃદયમાં મહાદેવભાઈને વિશેષ સ્થાન અપાવ્યું.

૭૭