લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૦
 
૩૯૦
 

૨૪ આંતરવિગ્રહ અશકય છે ૧૬મી જાન્યુઆરી ૧૯૩૩ના રાજ એ. પી. આઈ. ના પ્રતિનિધિને મુલાકાત આપતાં ગાંધીજીએ, અમદાવાદના શેઠ ચિમનલાલ ગિરધરદાસ પારેખે વાઇસરોયને કરેલા તાર વિષે આશ્રય વ્યક્ત કર્યું. એ તારમાં વાઇસરોયને એવી આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી કે અસ્પૃશ્યતાને લગતા એ કાયદાને ધારાસભાએમાં રજૂ કરવાની મંજૂરી તમારે ન આપવી. તેમાં એમ પણ જણાવ્યું હતું કે જો મંજૂરી આપવામાં આવશે તા ધાર્મિક આંતરવિગ્રહ થવાની સઘળી શકચતા છે. ગાંધીજીએ કહ્યું : મારી ખાતરી છે કે શેઠ ચિમનલાલ એમ માની શકે જ નહીં કે દેશમાં આંતરવિગ્રહની જરાય શકયતા છે. સનાતનીએને કરેલી મારી અપીલમાં મેં સ્પષ્ટ કર્યું છે કે આવું બને એમ હું કલ્પી જ શકતા નથી. સુધારકાને કાઈ પણ ઓળખતું હાય તા જરૂર હું તેમને ઓળખુ છું. વિગ્રહ તે। ત્યારે જ થાય જ્યારે એકબીજા સામે લડવાને માટે એય પક્ષ તૈયાર હોય. એ હાથ વિના તાળી પડી શકે નહી. જેએ પેાતાને સનાતની કહેવડાવે છે તેઓ વિગ્રહ કરવાને આદર કરશે તાપણ હવામાં પેાતાનાં શસ્ત્રા તે વીંઝવાના છે. પણ વિગ્રહ શા માટે થવા જ જોઈ એ ? વાઇસરાયે મંજૂરી આપવાને વિધિ કરવાનેા છે તે પસાર થયેલા કાયદાને નહીં પણ રજૂ કરવાના કાયદાને છે અને એ કાયદા પસાર થયા પછી પણ તેમાં લડાઈ તે માટે તેા જરાય અવકાશ નથી. લડાઈના સ ંભવ તા તા ગણાય જો બાજી સુધારકાના હાથમાંથી ચાલી જાય અને નિરાશ થયેલા તથા ઉશ્કેરાયેલા હિરજનેા પેાતાના તરફથી આ વસ્તુ ઉપાડે અને સવર્ણ હિંદુએના આખા સમુદાય સામે પેાતાના હકો માટે લડે. પણ સનાતન ધર્મ'ની આબરૂ સાચવવા માટે સુધારકા જીવતા છે ત્યાં સુધી તેા આવી શકયતા બહુ દૂરની છે. આ કાયદા તે જ પસાર થઈ શકે જો સંગીન હિંદુ લેાકમત તેની પાછળ હાય. જો લેાકમતનું પીડખળ ન હાય તેા કાયદેા પસાર થઈ શકે નહીં. એટલે હું તે! આશા રાખુ છું કે તમે હમણાં જે તાર પ્રત્યે મારું ધ્યાન ખેચ્યું છે તેનાથી કાઈ એ ભડકવાની જરૂર નથી. ૩૯૦